Jagannath Temple: 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર, આભુષણો રાખવા મંગાવવામાં આવ્યા લાકડાના પટારા
Ratna Bhandar Open: વિશેષ સમિતિના સભ્યોએ જણાવ્યું કે અંદર જતા પહેલા તેઓએ પરંપરાગત પોશાક સાથે મંદિરની અંદર ભગવાન લોકનાથની પૂજા કરી હતી. અગમચેતી રૂપે એક મદારીને પણ અંદર મોકવામાં આવ્યો હતો.

Jagannath Temple Ratna Bhandar: પુરીનું જગન્નાથ મંદિર આજે (14 જુલાઈ 2024) એક ખાસ અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. હકીકતમાં, 46 વર્ષ પછી, ઓડિશા સરકારે ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલ્યો, જેથી આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓની સૂચિ બનાવી શકાય. આ પહેલા રત્ના ભંડાર છેલ્લે 1978માં ખોલવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા તિજોરીમાં રાખવામાં આવેલી કિંમતી વસ્તુઓની યાદી બનાવવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર બપોરે 1.28 વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.
#WATCH | Puri, Odisha: Special boxes brought to Shri Jagannath Temple ahead of the re-opening of Ratna Bhandar.
— ANI (@ANI) July 14, 2024
The Ratna Bhandar of the Shri Jagannath Temple is to be opened today following Standard Operating Procedure issued by the state government. pic.twitter.com/xwRdtQe0Ml
ASI તિજોરીનું સમારકામ પણ કરશે
વિશ્વનાથ રથે કહ્યું કે પુરીમાં યોજાયેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના સભ્યોમાં શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ પાધીનો પણ સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), જે આ 12મી સદીના મંદિરની જાળવણીનું ધ્યાન રાખે છે, તે આ તકનો ઉપયોગ તિજોરીના સમારકામ માટે પણ કરશે.
તમામ SOPનું પાલન કરવામાં આવશે
પુરીના ડીએમ સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું, અમે રવિવાર (14 જુલાઈ, 2024) ના રોજ રત્ન ભંડારને ફરીથી ખોલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. અમે શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ સરકાર દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું સખતપણે પાલન કર્યું.
પહેલા ભગવાન લોકનાથની પૂજા કરશે
ઓરિસ્સા હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ વિશ્વનાથ રથની આગેવાની હેઠળની વિશેષ સમિતિના સભ્ય સૌમેન્દ્ર મુદુલીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી 16-સભ્ય ઉચ્ચ-સ્તરીય સમિતિએ 14 જુલાઈએ રત્ન સ્ટોરને ફરીથી ખોલવાની ભલામણ કરી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને અમે પહેલા મંદિરની અંદર ભગવાન લોકનાથની પૂજા કરી. સાવચેતી રૂપે, પહેલા અધિકૃત કર્મચારી અને સાપને પકડનાર એક્સપર્ટને અંદર મોકલવામાં આવ્યા હતા.
સાપ હોવાની અફવા
ભગવાન બલભદ્રના મુખ્ય સેવક હલધર દાસ મહાપાત્રાએ રાજ્ય સરકારને રત્ન ભંડાર લાંબા સમયથી બંધ હોવાનો ઉલ્લેખ કરીને સમારકામ માટે ફરીથી ખોલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રત્ન ભંડારમાં સંરક્ષક તરીકે સાપ હોવાની અફવા પર, દાસ મહાપાત્રાએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ અડચણ નથી. તેમણે સરકારને સલાહ આપી હતી કે સંગ્રહિત કિંમતી વસ્તુઓનું વજન ન કરો, તેના બદલે વસ્તુઓની ગણતરી કરો અને તેને ફરીથી સીલ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
