શોધખોળ કરો

પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો અમે વાતચીત માટે તૈયાર છીએ: રક્ષા મંત્રી રાજનાથ

India Pakistan peace talks: પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોણ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા નહીં ઇચ્છે?

Pakistan terrorism in Jammu Kashmir: રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે જો પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ બંધ કરે તો ભારત તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છે. રામબન જિલ્લાના બનિહાલ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધતા સિંહે કહ્યું કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા અને વિસ્તારને સમૃદ્ધ બનાવવા માટે હટાવવામાં આવી હતી.

સિંહે રેલીમાં કહ્યું, "પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે. કોણ પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા નહીં ઇચ્છે? કારણ કે હું આ વાસ્તવિકતા જાણું છું કે તમે તમારા મિત્રને બદલી શકો છો, પરંતુ તમારા પાડોશીને નહીં. અમે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ સૌ પ્રથમ તેમણે આતંકવાદને રોકવો પડશે." રક્ષા મંત્રીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનું બંધ કરશે, ત્યારે ભારત તેની સાથે વાતચીત શરૂ કરશે.

સિંહે કહ્યું, "જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ભોગ બનનારાઓમાં 85 ટકા મુસ્લિમો હતા. કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સામાન્ય બાબત હતી. શું આતંકવાદી ઘટનાઓમાં હિંદુઓ મરાતા હતા? હું ગૃહ મંત્રી રહી ચૂક્યો છું અને મને ખબર છે કે આતંકવાદી ઘટનાઓમાં સૌથી વધુ મુસ્લિમોનો જીવ ગયો."

આ પહેલાં, રક્ષા મંત્રીએ ભાજપ ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુરના સમર્થનમાં નજીકના રામબનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 40,000થી વધુ લોકોનો જીવ ગયો છે. ભાજપના ભટનો મુકાબલો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી વિકાર રસૂલ વાની સાથે છે, જેઓ બનિહાલ બેઠક પરથી જીતની હેટ્રિક બનાવવાની કોશિશમાં છે. ભટને નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શાહીન અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના ઇમ્તિયાઝ શાન તરફથી પણ કડક પડકારનો સામનો કરવો પડશે.

રાજનાથ સિંહે કહ્યું, 'હું PoKના રહેવાસીઓને કહેવા માંગુ છું કે પાકિસ્તાન તમને વિદેશી માને છે પરંતુ ભારતના લોકો તમને એવા નથી માનતા. અમે તમને અમારા પોતાનામાંથી એક માનીએ છીએ તેથી આવો અને અમારા ભાગ બનો. તમને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.

આ પણ વાંચોઃ

ભારતમાં પણ મંકીપોક્સની એન્ટ્રી! વિદેશથી પરત આવેલા વ્યક્તિમાં લક્ષણો મળ્યા, આઈસોલેટ કરવામાં આવ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Embed widget