શોધખોળ કરો

પશુપતિ પારસ બન્યા LJP ના અધ્યક્ષ, રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં લેવાયો નિર્ણય

લોક જનશક્તિ પાર્ટીમાં વિભાજન થયા બાદ અને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરૂવારે એલજેપીના બળવાખોર ગ્રુપે પશુપતિ પારસને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી લીધા છે. મહત્વનું છે કે એલજેપી નેતા સૂરજભાન સિંહના ઘર પર પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી.

પટના: લોક જનશક્તિ પાર્ટીમાં વિભાજન થયા બાદ અને છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ગુરૂવારે એલજેપીના બળવાખોર ગ્રુપે પશુપતિ પારસને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી લીધા છે. મહત્વનું છે કે એલજેપી નેતા સૂરજભાન સિંહના ઘર પર પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ચૂંટણી કરાવવામાં આવી, જેમાં માત્ર પશુપતિ પારસે ઉમેદવારી નોંધાવી હતી. તેવામાં તેમને બિનહરીફ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટી લેવામાં આવ્યા છે. પાર્ટી નેતા સૂરજભાન સિંહે પત્રકાર પરિષદ દરમિયાન આ વાતની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર બળવાખોર જૂથના નેતાઓ હાજર રહ્યાં હતા.

પાર્ટીમાં માલિકી હકને લઈને વિવાદ

મહત્વનું છે કે ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે પાર્ટીના માલિકી હકને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. પાંચ સાંસદોને પોતાના પક્ષમાં કરી પશુપતિ પારસે પાર્ટીની કમાન પોતાના હાથમાં લેવાનો પ્લાન બનાવી લીધો છે. પરંતુ ચિરાગ પોતાનું પદ છોડવા તૈયાર નથી.

ચૂંટણી દ્વારા કરવામાં આવી અધ્યક્ષની પસંદગી

તેવામાં બુધવારે પશુપતિ પારસ પટના પહોંચ્યા અને ગુરૂવારે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તેમને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. આ બેઠકમાં સાંસદ પ્રિન્સ રાજ સામેલ થયા નહીં. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પશુપતિ પારસ છેલ્લા ઘણા મહિનાથી તખ્તાપલટની ફિરાકમાં હતા. ચિરાગે પણ આ વાત સ્વીકારી છે. તેમણે પોતાના કાકા પશુપતિ પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે.

તો સાંસદ પશુપતિ પારસનું કહેવુ છે કે તેમણે પાર્ટી તોડી નથી, પરંતુ બચાવી છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીનું અસ્તિત્વ ધીમે-ધીમે ખતમ થઈ રહ્યુ હતું. તેવામાં રામવિલાસ પાસવાની પાર્ટી અને તેમના વિચારને બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપતિ પારસના જૂથમાં સામેલ નેતાઓ પણ આ વાત કહી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget