શોધખોળ કરો

લોકડાઉનથી પરિસ્થિતિ સારી, ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ, વાંચો- પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

પીએમ મોદીએ દેશમાં યોગ્ય સમય પર લગાવેલા લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા હવે આપણે અનલોક 2 મા પ્રવેશ કરી રહ્યા છીએ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું. પોતાના સંબોધન દરમિયાન તેમણે કોરોના મહામારીને લઈને ઘણી વાતો કરી. તેમણે લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે યોગ્ય સમય પર લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ઘણા લોકોના જીવ બચ્યા. આવો જાણીએ પીએમ મોદીના સંબોધનની મોટી વાતો. 1- લોકડાઉનના વખાણ પીએમ મોદીએ દેશમાં યોગ્ય સમય પર લગાવેલા લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા હવે આપણે અનલોક 2 મા પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એ મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં બીમારીના કેસ વધે છે. કોરોનાથી થતા મૃત્યુદરને જોવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. સમય પર કરવામાં આવેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ લાખો લોકોના જીવ બચ્યા છે. Unlock-One માં બેદરકારી તેમણે કહ્યું, હવે જ્યારે દેશમાં Unlock-One થયું છે, વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકાર વધતી જાય છે. પહેલા આપણે માસ્કને લઈને, સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને, 20 સેકન્ડ સુધી દિવસમાં ઘણી વખત હાથ ઘોવાને લઈને ખૂબ સતર્ક હતા. પીએમ મોદીએ કહ્યું આ સમયે જે લોકો બેદરકારી કરી રહ્યા છે તેઓ નથી સમજી રહ્યા કે તેઓ કોરોના સામેની લડાઈને નબળી કરી રહ્યા છે, આવા લોકોને બેદરકારી કરતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરાવવું પડશે. 20 કરોડ ગરીબ પરિવારોના જનઘન ખાતામાં પૈસા પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારને જનઘન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા. ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 3 મહિનાનું રેશન મફત આપવામાં આવ્યું છે. અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને મફત અનાજ પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યા કરતા 12 ગણા વધુ લોકોને અને યૂરોપીયન યૂનિયનની જનસંખ્યાથી લગભગ બે ગણા વધુ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે નવેમ્બર મહિનાના અંત સુી કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર પીએમ મોદીએ કહ્યું કે તહેવારના આ સમયમાં જરૂરીયાત પણ વધે છે, ખર્ચ પણ વધે છે અને આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત વધારવામાં આવી છે. નવેમ્બર મહિનાના અંત સુધી આ યોજના વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મળશે અનાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં દેશના 80 કરોડ લોકોના પાંચ કિલો ઘઉ અથવા ચોખાની સાથે એક કિલો ચણા પણ આપવામાં આવશે. 90 હજાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ થશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે અને છેલ્લા ત્રણ મહિનાના ખર્ચને પણ જોડાવામાં આવે તો આશરે દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. વન નેશન-વન કાર્ડ મુજબ પણ મળશે લાભ હવે સમગ્ર ભારત માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા પણ થઈ રહી છે. વન નેશન વન રેશન કાર્ડનો સૌથી વધુ ફાયદો એ ગરબી લોકને મળશે, જેઓ રાજગાર અથવા અન્ય આવશ્યક્તાઓના કારણે પોતાનું ગામ છોડીને અન્ય જગ્યાએ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- 'અમને લાઠીચાર્જનો ડર નથી, અહીં BJPની સરકાર નથી'
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- 'અમને લાઠીચાર્જનો ડર નથી, અહીં BJPની સરકાર નથી'
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
Embed widget