શોધખોળ કરો

8 એપ્રિલે તમામ રાજ્યોના CM સાથે બેઠક કરશે PM મોદી, કોરોનાની સ્થિતિ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલના દિવસોમાં કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાના નિર્ણયો કર્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને રવિવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 8 એપ્રિલે ફરી એક વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ માધ્યમથી બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલના દિવસોમાં કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાના નિર્ણયો કર્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને રવિવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.
 
રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દાઓ અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પીએમના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડૉક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 3 હજાર 558 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 478 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણના આ એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ 55.11 ટકા નવા કેસ અને 46.44 ટકા સંક્રમણથી મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસના 76 ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે.

કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ડરામણી છે. દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 3 હજાર 558 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા સંક્રમણના સૌથી વધુ કેસ છે.  આ પહેલા સપ્ટેમ્બરમાં 97,894 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 478 લોકોના મોત થયા છે. 

24 કલાકમાં નોંધાયેલા કેસમાં 81.90 ટકા માત્ર આઠ રાજ્યોમાંથી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબ છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ નોંધાયા છે. જે કુલ નવા કેસના 55.11 ટકા છે. છત્તીસગઢમાં 5,250, કર્ણાટકમાં 4,553, ઉત્તરપ્રેદશમાં 4,136, દિલ્હીમાં 4,033, તમિલનાડુમાં 3,581, મધ્યપ્રદેશમાં 3,178 અને પંજાબમાં 3,006 નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,03,,558 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 478 લોકોના મોત થયા છે. જોકે 52,847 લોકો ઠીક પણ થયા છે.  


કુલ કેસ-  એક કરોડ 25 લાખ 89 હજાર 067


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 82 હજાર 136


કુલ એક્ટિવ કેસ - 7 લાખ 41 હજાર 830


કુલ મોત - એક લાખ 65 હજાર 101


કુલ રસીકરણ - 7 કરોડ 91 લાખ 05 હજાર 163 ડોઝ આપવામાં આવ્યા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget