ના, આ એક નકલી લોન મંજૂરી પત્ર છે. સરકાર દ્વારા આવી કોઈ પ્રોસેસિંગ ફી માંગવામાં આવતી નથી.
₹2,550 ભરીને ₹5,00,000 લઈ જાવ, પીએમના નામે મળી રહી છે લોન? હવે સરકારે કર્યો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ₹5 લાખની લોનની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. સરકારી એજન્સી PIB એ આ મેસેજને નકલી ગણાવી લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

- ₹5 લાખ મુદ્રા લોન માટે ₹2,550 ફીની માંગણી નકલી.
- સરકારે વાયરલ થયેલા લોન મંજૂરી પત્રને નકલી ગણાવ્યો.
- PIB મુજબ, મુદ્રા યોજના સીધી લોન આપતી નથી.
- સત્તાવાર માહિતી માટે mudra.org.in ની મુલાકાત લેવી.
pm mudra loan scam alert: આજકાલ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને છેતરપિંડીના મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થતા હોય છે, જેને લોકો ઘણીવાર સાચા માની લેવાની ભૂલ કરી બેસે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો ફરી રહ્યા છે કે 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' હેઠળ સરકાર લોકોને ₹5 લાખની લોન આપી રહી છે અને તેના માટે પ્રોસેસિંગ ફી પેટે ₹2,550 માંગવામાં આવી રહ્યા છે. જો તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ કે લેટર આવ્યો છે, તો સાવધાન થઈ જજો! સરકારે ખુદ આ વાયરલ મેસેજ પાછળનું સત્ય જણાવતા એક મહત્વનું નિવેદન બહાર પાડ્યું છે અને લોકોને આ છેતરપિંડીથી બચવા ચેતવણી આપી છે.
શું છે આખો મામલો?
હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક લોન એપ્રુવલ લેટર (મંજૂરી પત્ર) ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અરજદારને ₹5 લાખની લોન મંજૂર કરવામાં આવી છે. પરંતુ, શરત એ રાખવામાં આવી છે કે આ લોન મેળવવા માટે પહેલા ₹2,550 ની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ લેટર જોવામાં એકદમ સાચો લાગે છે, જેના કારણે ઘણા નિર્દોષ લોકો છેતરાઈ રહ્યા છે અને પૈસા ગુમાવી રહ્યા છે.
શું છે આ વાયરલ દાવાનું સત્ય?
સરકારી એજન્સી PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) એ તાજેતરમાં જ આ સમાચારનું ખંડન કર્યું છે. PIB એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાયરલ લેટર શેર કર્યો છે અને તેની પર મોટા અક્ષરે "FAKE" (નકલી) લખ્યું છે.
🚨 SCAM ALERT!
— PIB Fact Check (@PIBFactCheck) May 24, 2026
A #fake loan approval letter is circulating, claiming to grant a loan amount worth ₹5 Lakhs under the Pradhan Mantri Mudra Yojana on payment of a processing fee of ₹2,550. #PIBFactCheck:
❌ The letter is FAKE.
✅ MUDRA does not provide direct loans to… pic.twitter.com/bNcGYWv40I
PIB એ સ્પષ્ટતા કરતા ફેક્ટ-ચેકમાં જણાવ્યું છે કે:
આ લોન મંજૂરી પત્ર તદ્દન નકલી છે. સરકાર દ્વારા આવો કોઈ પત્ર બહાર પાડવામાં આવ્યો નથી અને ₹2,550 ની પ્રોસેસિંગ ફીની માંગણી પણ તદ્દન ખોટી છે.
મુદ્રા (MUDRA) યોજના ક્યારેય સીધી રીતે કોઈ વ્યક્તિઓ કે નાના ઉદ્યોગસાહસિકોને લોન આપતી નથી. તે માત્ર એક પુનર્ધિરાણ (Refinancing) એજન્સી છે, જે બેંકો દ્વારા લોન પૂરી પાડે છે.
કોઈપણ સરકારી યોજનાની પ્રમાણિત અને સાચી માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ http://mudra.org.in/FAQ ની જ મુલાકાત લો.
સાવચેત રહો અને ખોટી માહિતી અટકાવો
PIB હંમેશા લોકોને સરકારી યોજનાઓ પાછળના સત્ય વિશે માહિતગાર કરે છે અને સરકારના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ સામે ચેતવણી આપે છે. PIB એ લોકોને અપીલ કરી છે કે આવી છેતરપિંડીથી સતર્ક રહો અને ખોટી માહિતી ફેલાતી અટકાવવામાં મદદ કરો. જો તમને ભારત સરકારને લગતી કોઈપણ શંકાસ્પદ કે ભ્રામક સામગ્રી મળે, તો તમે તરત જ PIB ને તેમના સત્તાવાર ઈમેલ કે મોબાઈલ નંબર પર તેની જાણ કરી શકો છો. યાદ રાખો, થોડીક સાવચેતી જ તમને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થતા બચાવી શકે છે.
Frequently Asked Questions
શું સરકાર ₹5 લાખની મુદ્રા લોન માટે ₹2,550 પ્રોસેસિંગ ફી માંગી રહી છે?
મુદ્રા યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય?
મુદ્રા યોજના સીધી લોન આપતી નથી, પરંતુ બેંકો દ્વારા નાના ઉદ્યોગોને પુનર્ધિરાણ પૂરું પાડે છે.
આ વાયરલ થયેલા ₹5 લાખની લોનના દાવાનું સત્ય શું છે?
PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) દ્વારા આ લોન મંજૂરી પત્રને નકલી જાહેર કરવામાં આવ્યો છે. સરકાર આવો કોઈ પત્ર બહાર પાડતી નથી.
સરકારી યોજનાઓની સાચી માહિતી ક્યાંથી મેળવી શકાય?
કોઈપણ સરકારી યોજનાની પ્રમાણિત માહિતી માટે હંમેશા સત્તાવાર વેબસાઇટ http://mudra.org.in/FAQ ની મુલાકાત લો.





















