શોધખોળ કરો

કાળા નાણા પર PM મોદીની સર્જિકલ સ્ટ્રાઈક, દેશમાં અફરા-તફરીનો માહોલ, 500 અને 1000ની નોટ બંધ

નવી દિલ્લી: પીએમ મોદી દેશને સંબોધિત કરતા કહ્યું કે ભારતે દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ સરકાર ગરીબોને સમર્પિત છે. છેલ્લા દોઢ વર્ષમાં દેશવાસિઓના સહયોગથી દેશ વિકાસના રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યો છે. પીએમ મોદી કાળાનાણા પર લગામ લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ આજે 12 વાગ્યાથી લાગૂ પડશે. પીએમ મોદીએ કહ્યું કે, જેની પાસે 500 અને 1000 રૂપિયાની નોટ છે તે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેંક અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવીને તેના બદલામાં તમારી રકમ લઈ શકો છો. પીએમે કહ્યું કે 500 અને 1000 હજારની નોટો સિવાય બાકી તમામ નોટ અને સિક્કા બજારમાં ચાલશે અને તેની લેન-દેન થઈ શકશે. તમારી પાસે 50 દિવસનો સમય છે. આ સમય ગાળામાં તમે નોટો બદલાવી શકો છો. પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ કારણસર 30 ડિસેમ્બર સુધી લોકો નોટ જમા ન કરાવી શકે, તો તેમને એક છેલ્લો મોકો આપવામાં આવશે. તેમને કહ્યું કે ઈમાનદારીથી પૈસા કમાવનાર નાગરિકોના હિતો માટે પુરી રક્ષા કરવામાં આવશે. પીએમે જાહેરાત કરી છે કે, 9 અને 10 નવેમ્બરે તમામ એટીએમ મશીન બંધ રહેશે. 11 નવેમ્બરની રાતથી 12 વાગ્યા સુધી નાગરિકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમે ટિકિટ બુકિંગ કાઉંટર, સરકારી બસોની ટિકિટ બુકિંગ કાઉંટર અને હવાઈ મથકો ઉપર પણ માત્ર ટિકિટ ખરીદવા માટે જૂની નોટો માન્ય રહેશે. મોદીએ કહ્યું કે તમારા રૂપિયા તમારા જ રહેશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદીએ કહ્યું કે હવે જલ્દીથી 2000 રૂપિયાની નોટ અને 500ની નવી ડિઝાઈનની નોટોને સર્કુલેશનમાં લાવવામાં આવશે. તેમને કહ્યું કે સરકારે રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોને સર્કુલેશનમાં લાવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને જનતાના હિતમાં છે. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, છેલ્લા દશકાથી અમે એવો અનુભવ કરી રહ્યા છીએ કે દેશમાં ભ્રષ્ટાચાર અને કાળુનાણું નામના બીમારીએ દેશને જકડી રખ્યો છે. ભ્રષ્ટાચાર અને કાળું નાણાને રોકવા માટે સરકાર કડક પગલા ઉઠાવી રહી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ફરી એકવખત દેશને સંબોધિત કર્યો હતો. હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ફાયરિંગને લઈને પીએમ મોદી દેશને આશ્વાસન આપ્યું હતું. સાથે દેશની હાલની સ્થિતિને લોકો સામે ઉજાગર કરી હતી. જો કે, આજે પીએમ મોદીની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આગેવાનીમાં હાઈલેવલ મીટિંગ થઈ હતી. બેઠકમાં પીએમ મોદીની સાથે ત્રણે સેનાઓના પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હાજર રહ્યા હતા. સીમા પર ફાયરિંગની ઘટનાઓને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજનાથ સિંહે પણ એક મીટિંગ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
ટૂંક સમયમાં લોન્ચ થશે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, ટીઝર રિલીઝ, આ EVsને આપશે ટક્કર
ટૂંક સમયમાં લોન્ચ થશે Toyotaની પહેલી ઇલેક્ટ્રિક કાર, ટીઝર રિલીઝ, આ EVsને આપશે ટક્કર
Embed widget