શોધખોળ કરો

Politics : 26 પક્ષોએ કાઢ્યું 'બ્રમ્હાસ્ત્ર', 2024માં PM મોદીનો મુકાબલો 'INDIA' સાથે

વિપક્ષી નેતાઓના તરફથી એક પછી એક સામે આવતા 'ચક દે ઈન્ડિયા' ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષે કયો દાખ ખેલ્યો છે.


Opposition Alliance : 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આગેવાનીમાં એક નવા જ વિપક્ષી મોરચાની રચના કરવામાં આવી છે. આજે બેંગલુરુમાં 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન મહાગઠબંધનના નામ પર મહોર મારવામાં આવી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, વિપક્ષી ગઠબંધનનું નામ યુપીએ જ રાખવામાં આવશે. જો કે, બપોરે 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ ગયું કે, વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં NDAનો સામનો 'INDIA' સામે થશે. જેનું આખુ નામ I થી ઈન્ડિયા, N થી નેશનલ, D થી ડેમોક્રેટિક, I થી ઈન્ક્લુઝીવ અને A થી એલાયન્સ રહેશે. India નામ રાખવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

વિપક્ષી નેતાઓના તરફથી એક પછી એક સામે આવતા 'ચક દે ઈન્ડિયા' ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષે કયો દાખ ખેલ્યો છે. હવે રાષ્ટ્રવાદની ભાવનાથી રંગાયેલી ચૂંટણીમાં Indiaનું નામ વારંવાર સાંભળવા મળશે. વાસ્તવમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએ રાષ્ટ્રવાદની ઘણી વાતો કરે છે. એક નવો વેગ ઉભો કરવા અને મોદી-શાહની જોડી સામે વાતાવરણ ઊભું કરવા માટે આ નામ ખૂબ જ સાવધાનીપૂર્વક પસંદ કરવામાં આવ્યું હોવાનું સમજાય છે. સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિપક્ષી મોરચાનું નામ 'India' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ પક્ષોએ સ્વીકારી લીધો હતો.

 

2024માં ભારત અને એનડીએ વચ્ચે મુકાબલો થશે

હવે ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'તો આ વખતે 2024 હશે, ટીમ ઈન્ડિયા Vs ટીમ એનડીએ ચક દે ઈન્ડિયા!' નામ બદલવા પાછળનો એક વિચાર એ પણ હોઈ શકે કે, યુપીએ મોરચાને 2004 અને 2009ની જેમ ઘણા સંકેતો મળ્યા હશે. વિરોધ પક્ષો ઈચ્છે છે કે, એનડીએ વિરુદ્ધ નવું અભિયાન શરૂ થાય. સંભવ છે કે કોંગ્રેસ પર મોરચાનું નામ બદલવાનું દબાણ હતું. યુપીએની આગેવાની કોંગ્રેસે કરી હતી અને આ વખતે તમામ વિપક્ષી પાર્ટીઓ કદાચ કોઈને નેતા માનવાના મૂડમાં ના હોય.

બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ભારતનું પ્રતિબિંબ છે. હવે બીજેપીને ઈન્ડિયા કહેવામાં પણ પીડા અનુંભવાશે. જોકે, પાર્ટીની આ ટ્વીટ થોડા સમય બાદ ડિલીટ કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર India ગઠબંધનની ચર્ચા થઈ રહી છે. ભારતમાં INDIA vs NDAનો ટ્રેન્ડ શરૂ થયું છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget