શોધખોળ કરો

Punjab Politics: શું પંજાબમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલે CM માનને ચેતવણી આપતા રાજકારણ ગરમાયું

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે AAP સરકાર પર બંધારણ વિરુદ્ધ કામ કરવાનો અને તેમના પત્રોનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો તેઓ તેમના પત્રોનો જવાબ નહીં આપે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

 

વાસ્તવમાં, બનવારીલાલ પુરોહિતે કહ્યું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી એ સ્પષ્ટપણે સીએમ ભગવંત માન પર લાદવામાં આવેલી બંધારણીય ફરજનું અપમાન છે. જો તેમાં નિષ્ફળ જાય તો મારી પાસે કાયદા અને બંધારણ મુજબ પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ પહેલા રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સીએમ ભગવંત માન પર જૂનમાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યપાલ પાસે ઘણી બધી સત્તાઓ છે
તો બીજી તરફ, આ પહેલા પણ રાજ્યપાલ પુરોહિતે પણ સીએમ માન પર વહીવટી બાબતોની માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે વિધાનસભા સત્ર દરમિયાન પસાર કરાયેલા ચાર બિલોમાંથી એક રાજ્ય યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે રાજ્યપાલની સત્તા છીનવી લેશે. પુરોહિતે તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું હતું. પુરોહિતે સીએમ માન પર બંધારણની કલમ 167નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોઈપણ પત્રનો નથી મળ્યો જવાબ
રાજ્યપાલ પુરોહિતે કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વહીવટી માહિતી મુખ્યમંત્રી આપવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું કે માર્ચમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને આ બંધારણીય જોગવાઈનું સન્માન કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમણે મુખ્યમંત્રીને 10-15 પત્રો લખ્યા પરંતુ તેમાંથી ઘણાનો જવાબ ન મળ્યો કે અધૂરો જવાબ મળ્યો. તેમણે કહ્યું કે જ્યારે હું કોઈ માહિતી માંગું છું ત્યારે સીએમ માન ગુસ્સે થઈ જાય છે. પુરોહિતે સીએમ માન પરના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કહે છે કે તેઓ માત્ર ત્રણ કરોડ પંજાબીઓ માટે જવાબદાર છે રાજભવનને નહીં. પણ તેણે પોતાની મરજી પ્રમાણે નહીં પણ બંધારણ પ્રમાણે રાજ્ય ચલાવવાનું છે, પૂરોહિતે કહ્યું કે, તમે રાજા થોડા છો.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget