શોધખોળ કરો

Punjab Politics: શું પંજાબમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલે CM માનને ચેતવણી આપતા રાજકારણ ગરમાયું

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

Punjab News: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે AAP સરકાર પર બંધારણ વિરુદ્ધ કામ કરવાનો અને તેમના પત્રોનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યપાલે સીએમ ભગવંત માનને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો તેઓ તેમના પત્રોનો જવાબ નહીં આપે તો તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.

 

વાસ્તવમાં, બનવારીલાલ પુરોહિતે કહ્યું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી એ સ્પષ્ટપણે સીએમ ભગવંત માન પર લાદવામાં આવેલી બંધારણીય ફરજનું અપમાન છે. જો તેમાં નિષ્ફળ જાય તો મારી પાસે કાયદા અને બંધારણ મુજબ પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ પહેલા રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે સીએમ ભગવંત માન પર જૂનમાં યોજાયેલા વિધાનસભા સત્ર દરમિયાન તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યપાલ પાસે ઘણી બધી સત્તાઓ છે
તો બીજી તરફ, આ પહેલા પણ રાજ્યપાલ પુરોહિતે પણ સીએમ માન પર વહીવટી બાબતોની માહિતી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું હતું કે વિધાનસભા સત્ર દરમિયાન પસાર કરાયેલા ચાર બિલોમાંથી એક રાજ્ય યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે રાજ્યપાલની સત્તા છીનવી લેશે. પુરોહિતે તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું હતું. પુરોહિતે સીએમ માન પર બંધારણની કલમ 167નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કોઈપણ પત્રનો નથી મળ્યો જવાબ
રાજ્યપાલ પુરોહિતે કહ્યું હતું કે રાજ્યપાલ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વહીવટી માહિતી મુખ્યમંત્રી આપવા માટે બંધાયેલા છે. તેમણે કહ્યું કે માર્ચમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને આ બંધારણીય જોગવાઈનું સન્માન કરવાની સલાહ આપી હતી. જે બાદ તેમણે મુખ્યમંત્રીને 10-15 પત્રો લખ્યા પરંતુ તેમાંથી ઘણાનો જવાબ ન મળ્યો કે અધૂરો જવાબ મળ્યો. તેમણે કહ્યું કે જ્યારે હું કોઈ માહિતી માંગું છું ત્યારે સીએમ માન ગુસ્સે થઈ જાય છે. પુરોહિતે સીએમ માન પરના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કહે છે કે તેઓ માત્ર ત્રણ કરોડ પંજાબીઓ માટે જવાબદાર છે રાજભવનને નહીં. પણ તેણે પોતાની મરજી પ્રમાણે નહીં પણ બંધારણ પ્રમાણે રાજ્ય ચલાવવાનું છે, પૂરોહિતે કહ્યું કે, તમે રાજા થોડા છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Advertisement

વિડિઓઝ

IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
ગુજરાતી ફિલ્મ 'લાલો' ની ધમાલ, તોડી નાખ્યા સ્ત્રી 2','પુષ્પા 2' અને 'છાવા' ના રેકોર્ડ, કમાણી જાણીને ચોંકી જશો
ગુજરાતી ફિલ્મ 'લાલો' ની ધમાલ, તોડી નાખ્યા સ્ત્રી 2','પુષ્પા 2' અને 'છાવા' ના રેકોર્ડ, કમાણી જાણીને ચોંકી જશો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Embed widget