શોધખોળ કરો

PM Modi Assam Visit: દેશમાં આવી નવી બિમારી! PM મોદીએ નામ લીધા વગર જ કોંગ્રેસને બરાબરની ધમરોળી

PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, જો હું પૂર્વોત્તરના વિકાસની વાત કરું તો દેશભરમાં મારી મુલાકાતો દરમિયાન કેટલાક લોકો ક્રેડિટ ન મળવાની ફરિયાદ કરવા લાગે છે.

PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના વસંત ઉત્સવ 'રોંગાલી બિહુ'ના પહેલા દિવસે શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. અહીં તેમણે 14,300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રૂ. 1120 કરોડના ખર્ચે બનેલ ગુવાહાટી AIIMSનું ઉદ્ઘાટન કર્યું, જેનો શિલાન્યાસ મે 2017માં તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના જ તેના પર આકરા પ્રહારો કર્યા હતાં.

આ ઉપરાંત, તેમણે 500 પથારીની ત્રણ મેડિકલ કોલેજો, નલબારી મેડિકલ કોલેજ, નાગાંવ મેડિકલ કોલેજ અને કોકરાઝાર મેડિકલ કોલેજ આસામના લોકોને સમર્પિત કરી હતી. ગુવાહાટી એરપોર્ટ પર રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું.

અમે તમારા સેવક બનવાની ભાવના સાથે કામ કરીએ છીએ - PM મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે, 'બિહુ ઉત્સવ માટે આપ સૌને શુભકામનાઓ. આ શુભ અવસર પર આસામના ઉત્તર-પૂર્વના સ્વાસ્થ્ય માળખાને આજે એક નવી તાકાત મળી છે. આજે ઉત્તર-પૂર્વને તેની પ્રથમ AIIMS મળી છે અને આસામને ત્રણ નવી મેડિકલ કોલેજો મળી છે. છેલ્લા નવ વર્ષમાં અમે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે અને તેથી જ દરેક વ્યક્તિ કનેક્ટિવિટી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિશે વાત કરે છે. અમે તમારા સેવક હોવાની લાગણી સાથે કામ કરીએ છીએ, તેથી ઉત્તરપૂર્વ અમને દૂર નથી લાગતું અને તમારી લાગણી પણ રહે છે. આજે નોર્થ ઈસ્ટના લોકોએ આગળ વધીને વિકાસની લગામ જાતે જ હાથમાં લીધી છે. ભારતના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ.

તેઓ ક્રેડિટના ભૂખ્યા હતા અને તેથી પૂર્વોત્તર તેમના માટે ખૂબ દૂર હતું - પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, જો હું પૂર્વોત્તરના વિકાસની વાત કરું તો દેશભરમાં મારી મુલાકાતો દરમિયાન કેટલાક લોકો ક્રેડિટ ન મળવાની ફરિયાદ કરવા લાગે છે. તેઓ ક્રેડિટ ભૂખ્યા હતા અને તેથી ઉત્તરપૂર્વ તેમના માટે ખૂબ દૂર હતું. જો કે અમે લોકોના ભલા માટે કામ કરીએ છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજકાલ એક નવો રોગ જોવા મળી રહ્યો છે. તેઓ ફરિયાદ કરે છે કે, તેઓએ પણ દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું, પરંતુ શા માટે તેમને ક્રેડિટ ના મળી? ક્રેડિટ ભૂખ્યા લોકો અને જનતા પર રાજ કરવાની ભાવનાએ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. વોટબેંકના બદલે અમે દેશના લોકોની મુશ્કેલીઓનું નિરાકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમારી બહેનોએ સારવાર માટે દૂર જવું ન પડે તેવો અમારો હેતુ હતો. અમે નક્કી કર્યું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિએ પૈસાના અભાવે તેની સારવાર મુલતવી ન રાખવી જોઈએ.

પૈસાની અછત સારવારમાં અડચણ ન બને, તેથી આયુષ્માન યોજના શરૂ કરી

પીએમ મોદીએ કહ્યું હતું કે, અગાઉની સરકારોની નીતિઓને કારણે અમારી પાસે ડોક્ટરો અને મેડિકલ પ્રોફેશનલ્સની સંખ્યા ઓછી હતી. ભારતમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળમાં આ એક મોટો અવરોધ હતો. તેથી છેલ્લા 9 વર્ષોમાં અમારી સરકારે દેશમાં મેડિકલ ઇન્ફ્રા અને મેડિકલ પ્રોફેશનલ્સની સંખ્યા વધારવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, 2014 પહેલા 10 વર્ષમાં માત્ર 150 મેડિકલ કોલેજો બની હતી, છેલ્લા 9 વર્ષમાં અમારી સરકારમાં લગભગ 300 નવી મેડિકલ કોલેજો બની છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં MBBSની બેઠકો પણ બમણી થઈને 1 લાખથી વધુ થઈ ગઈ છે. હું સમજું છું કે સારવાર માટે પૈસા ન હોવા એ ગરીબો માટે મોટી ચિંતા છે અને તેથી જ અમે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. પીએમે ઉમેર્યું હતું કે, હું જાણું છું કે મોંઘી દવાઓ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી ચિંતા છે અને તેથી અમારી સરકારે સસ્તી દવાઓ માટે 9,000 થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે.

પીએમ મોદીએ આ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ગુવાહાટીથી જ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને ઔપચારિક રીતે 'આપકે દાવો આયુષ્માન' ઝુંબેશની શરૂઆત કરી અને 3 પ્રતિનિધિ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડનું વિતરણ કર્યું. ત્યાર બાદરાજ્યના તમામ જિલ્લાઓમાં લગભગ 1.1 કરોડ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદીએ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કર્યો. 'આત્મનિર્ભર ભારત' અને મેક ઈન ઈન્ડિયાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં આ એક પગલું છે. વડાપ્રધાને ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કર્યા હતા.

PM Modi Assam Visit: દેશમાં આવી નવી બિમારી! PM મોદીએ નામ લીધા વગર જ કોંગ્રેસને બરાબરની ધમરોળી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget