શોધખોળ કરો

Punjab: 'પંજાબમાં 25 લાખ લોકોને ઝીરો બિલ આવ્યું',રાજ્ય સરકારે કરી હતી મફત વીજળીની જાહેરાત

પંજાબ(Punjab)માં આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. તેમના વચનને બે મહિના વીતી ગયા. પંજાબ સરકારનો દાવો છે કે 24-25 લાખ ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય પર આવી ગયું છે.

Free Electricity In Punjab: પંજાબ(Punjab)માં આમ આદમી પાર્ટી (AAP) સરકારે મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. તેમના વચનને બે મહિના વીતી ગયા. પંજાબ સરકારનો દાવો છે કે 24-25 લાખ ઘરેલું ગ્રાહકોનું વીજળી બિલ શૂન્ય પર આવી ગયું છે. 1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ વીજળી મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

પંજાબ સરકારનો દાવો છે કે રાજ્યના સામાન્ય લોકોને તેમની 300 યુનિટ ફ્રી વીજળી યોજનાને કારણે ઘણી મદદ મળી રહી છે. પંજાબ સરકારનું કહેવું છે કે સમાજના તમામ વર્ગોને રાહત આપવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ઝીરો બિલ આવવા  પર  પંજાબ વિદ્યુત વિભાગના એક અધિકારીએ કહ્યું કે આનો લાભ લેનારા મોટાભાગના ગ્રાહકો ગ્રામીણ અને શહેરી ગરીબ છે, જેમાં તે ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે જેમનું મીટર 7 kW કરતા ઓછું છે.

પંજાબ સરકારે શું આપ્યું હતું  વચન  ?

પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકારે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો પંજાબના લોકોને દર મહિને 300 યુનિટ વીજળી મફતમાં આપશે. ભૂતકાળમાં, પંજાબ સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ ઘરેલું કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કર્યા હતા.

સરકારે ખેડૂતોને પણ રાહત આપી?

પંજાબ સરકારે પણ ખેડૂતો માટે રાહતની જાહેરાત કરી હતી. તાજેતરમાં, ખેડૂત યુનિયનોએ સીએમ ભગવંત માનને મળ્યા બાદ પંજાબ સરકાર સામેનો તેમનો પ્રસ્તાવિત વિરોધ પાછો ખેંચી લીધો હતો. સીએમ ભગવંત માનને મળ્યા બાદ ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેમની મોટાભાગની માંગણીઓ પૂરી થઈ ગઈ છે.

કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાતઃ સરપંચોને દર મહિને 10 હજાર પગાર અપાશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Embed widget