શોધખોળ કરો

મહિલા અનામત બિલ 2026: 'OBC નો હિસ્સો છીનવવો એ રાષ્ટ્રવિરોધી કૃત્ય છે', રાહુલ ગાંધીના PM મોદી પર આકરા પ્રહાર

કોંગ્રેસ નેતાએ કહ્યું અમે મહિલા અનામતના પૂરા સમર્થનમાં છીએ, પરંતુ નવી વસ્તી ગણતરી વગર સીમાંકન કરવાથી દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને મોટું નુકસાન થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં OBCનો હિસ્સો ચોરી કરવાનો આરોપ મૂક્યો.
  • 2011ની વસ્તી ગણતરી પર સીમાંકન OBC સાથે અન્યાય કરશે.
  • જાતિ આધારિત ગણતરીના ડરથી સરકાર OBCને તેમનો હિસ્સો નથી આપતી.
  • કોંગ્રેસ OBC, દલિતો, આદિવાસીઓના હક માટે લડશે.

Rahul Gandhi Women Reservation Bill: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી મહિલા અનામતનું સંપૂર્ણ સમર્થન કરે છે, પરંતુ સરકાર આ બિલના બહાને અન્ય પછાત વર્ગો (OBC) નો હિસ્સો છીનવી લેવા માંગે છે. તેમણે દાવો કર્યો છે કે નવી જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા વિના માત્ર જૂની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવું એ એક મોટો ખેલ છે, જેનાથી દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોને ભારે નુકસાન થશે. રાહુલ ગાંધીએ OBC ના હક છીનવવાની આ રાજકીય પ્રવૃત્તિને સીધી રીતે 'રાષ્ટ્રવિરોધી' ગણાવી છે.

PM મોદી OBC નો હિસ્સો ચોરી કરવા માંગે છે: રાહુલ ગાંધી

લોકસભામાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ રજૂ થાય તેના બરાબર એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. આ સંદેશમાં તેમણે કહ્યું હતું કે, "સરકાર મહિલા અનામતના નામે એક મોટી અપ્રમાણિકતા અને છેતરપિંડી કરી રહી છે. વડાપ્રધાન મોદી નથી ઈચ્છતા કે આ નિર્ણય નવી જાતિ આધારિત વસ્તી ગણતરી પ્રમાણે લેવામાં આવે. તેઓ હજુ પણ 2011 ની વસ્તી ગણતરીનો જ ઉપયોગ કરવા માંગે છે, જેમાં OBC વસ્તીનો કોઈ સ્પષ્ટ ડેટા નથી. આમ કરીને પીએમ તમારો (OBC નો) હિસ્સો ચોરી લેવા માંગે છે."

"જાતિ ગણતરીના આંકડાથી સરકાર ગભરાઈ ગઈ છે"

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને ભાજપ અત્યારે ગભરાયેલા છે કારણ કે હવે જાતિ આધારિત વસ્તી ગણતરીના સાચા આંકડા સામે આવવા લાગ્યા છે. તેમને OBC વસ્તીના કદનો સાચો અંદાજ આવી ગયો છે અને એટલે જ તેઓ નથી ઈચ્છતા કે પછાત વર્ગને તેમની વસ્તીના પ્રમાણમાં સાચો હિસ્સો મળે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ વર્ગનો હક મારવો એ એક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે.

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોને થશે ગંભીર નુકસાન

નવા સીમાંકન (Delimitation) ના પ્રસ્તાવને અત્યંત ખતરનાક ગણાવતા રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે, જો મોદીજીની ઈચ્છા મુજબનું સીમાંકન લાગુ કરવામાં આવશે, તો તેનાથી દક્ષિણના રાજ્યો, પશ્ચિમના નાના રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યોને ગંભીર રાજકીય નુકસાન વેઠવું પડશે.

"અમે OBC, દલિતો અને આદિવાસીઓને અન્યાય નહીં થવા દઈએ"

પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારી સીધી માંગ છે કે સીમાંકન 2011 ની નહીં, પરંતુ 2026 ની નવી વસ્તી ગણતરીના આધારે જ થવું જોઈએ. જો સરકાર ખરેખર મહિલા અનામત લાગુ કરવા જ માંગતી હોય, તો હાલનો 'નારી શક્તિ વંદન કાયદો' મોજૂદ જ છે, તેનો જ અમલ કરો. અમે તેમાં તમને પૂરેપૂરો સાથ આપીશું. પરંતુ, સરકાર પોતાની મરજી મુજબ બેઠકો વધારે, મનસ્વી રીતે સીમાંકન કરે અને તેમાં OBC ને કશું જ ન મળે, તેવું અમે ક્યારેય ચલાવી લઈશું નહીં. અમે અન્ય પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓને તેમના હકથી કોઈ સંજોગોમાં વંચિત નહીં રહેવા દઈએ."

Frequently Asked Questions

મહિલા અનામત બિલ અંગે રાહુલ ગાંધીનું મુખ્ય આક્ષેપ શું છે?

રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે સરકાર મહિલા અનામતના બહાને OBC નો હિસ્સો છીનવી લેવા માંગે છે. તેઓ જૂની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવાને OBC સાથે અન્યાય ગણાવે છે.

રાહુલ ગાંધી 2011 ની વસ્તી ગણતરીનો ઉપયોગ શા માટે ખોટો માને છે?

તેમના મતે, 2011 ની વસ્તી ગણતરીમાં OBC વસ્તીનો સ્પષ્ટ ડેટા નથી. આનાથી OBC ને તેમની વસ્તીના પ્રમાણમાં સાચો હિસ્સો મળવામાં મુશ્કેલી થશે.

જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાથી સરકાર શા માટે ગભરાયેલી છે?

રાહુલ ગાંધીના મતે, સાચા આંકડા આવવાથી સરકારને OBC વસ્તીના કદનો અંદાજ આવી ગયો છે. તેથી, તેઓ OBC ને તેમનો યોગ્ય હિસ્સો આપવા માંગતા નથી.

નવા સીમાંકનથી કયા રાજ્યોને નુકસાન થઈ શકે છે?

જો પ્રસ્તાવિત સીમાંકન લાગુ થશે, તો દક્ષિણના રાજ્યો, પશ્ચિમના નાના રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યોને ગંભીર રાજકીય નુકસાન થઈ શકે છે.

કોંગ્રેસની સીધી માંગ શું છે?

કોંગ્રેસની માંગ છે કે સીમાંકન 2011 નહીં, પરંતુ 2026 ની નવી વસ્તી ગણતરીના આધારે થવું જોઈએ. તેઓ OBC, દલિતો અને આદિવાસીઓને તેમના હકથી વંચિત નહીં રહેવા દેવાની ખાતરી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
Embed widget