શોધખોળ કરો

Rajasthan: કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ થયા બાદ સચિન પાયલટે આપ્યું મોટુ નિવેદન, જાણો શું કહ્યું? 

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં સામેલ કરવામાં આવ્યા છે. સચિન પાયલટે આ પછી કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે.

Rajasthan News: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં સામેલ કરવામાં આવ્યા છે. સચિન પાયલટે આ પછી કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ પાર્ટીની રીતિ-નીતિ અને વિચારધારાને મજબૂત કરવા માટે કામ કરશે.

કૉંગ્રેસે તેમના નામની જાહેરાત કર્યા બાદ સચિન પાયલટે ટ્વીટ કર્યું, "કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્ય બનવા પર હું આદરણીય કૉંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, CPP  ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાહુલનો આભાર વ્યક્ત કરુ છું. અમે બધા કોંગ્રેસના રીતિ-નીતિ અને વિચારધારાને મજબૂત  બનાવીશું અને તેને વધુ મજબૂતીથી લોકો સુધી લઈ જઈશું.

નારાજગી દૂર કરવા માટે પાર્ટીનો મોટો દાવ

માનવામાં આવે છે કે સચિન પાયલટની નારાજગી દૂર કરવા માટે તેમને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સીએમ અશોક ગેહલોત અને તેમની વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. ચૂંટણી પહેલા પાર્ટીમાં એકતા બનાવવા માટે બંનેને દિલ્હી બોલાવીને બેઠક યોજવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજસ્થાન કોંગ્રેસમાં હવે બધું બરાબર છે. સચિન પાયલોટે પણ આ બેઠક બાદ કહ્યું હતું કે પાર્ટી રાજસ્થાન ચૂંટણીમાં એક થઈને લડશે. 

કોંગ્રેસની નવી કાર્યકારી સમિતિ( Working Committee)ની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત કુલ 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને   દીપક બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.  કોંગ્રેસથી નારાજ આનંદ શર્મા અને શશિ થરૂર સહિત જી-23ના ઘણા નેતાઓને પણ આ કાર્ય સમિતિમાં સ્થાન મળ્યું છે. CWCની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કોંગ્રેસમાં આ સૌથી મોટી નિર્ણય લેનારી સમિતિ છે. જો કે આ નવી કમિટીમાં જૂની કમિટીમાં બહુ ફેરફાર કરવામાં આવ્યા નથી. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
Embed widget