શોધખોળ કરો

Rajasthan Politics: જયપુરમાં આજે કોગ્રેસ નેતા સચિન પાયલટ એક દિવસના કરશે ઉપવાસ, આ કોગ્રેસ નેતાએ આપ્યું સમર્થન

રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે

Rajasthan Congress Crisis: રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ આજે જયપુરમાં એક દિવસ માટે ઉપવાસ કરશે. તેઓ અગાઉની ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરી રહ્યા છે. તેમનો આરોપ છે કે અશોક ગેહલોત સરકારે તેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોઈ પગલાં લીધા નથી જેના આધારે તે સત્તામાં આવી હતી. સચિનના આ પગલા પર રાજસ્થાન કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણને એક કવિતા દ્વારા પોતાની વાત રાખી છે. કૃષ્ણનને સચિન પાયલટના સમર્થક માનવામાં આવે છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણને ટ્વિટર પર કવિતા લખી સચિન પાયલટને સમર્થન આપ્યું છે.

રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે. તે ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે. એક તરફ જ્યાં કોંગ્રેસ પક્ષના નેતાઓ મુશ્કેલીમાં અને લાચારીની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ આપના સમર્થનથી મોટો સંદેશો આપવામાં આવ્યો છે.

વિનય મિશ્રાએ ટ્વીટ કર્યું છે કે, 'રાજસ્થાનને આજે જો કોઈએ લૂંટ્યું છે તો તે વસુંધરાજી અને અશોક ગેહલોતજીનું અતૂટ ગઠબંધન છે. જેના કારણે દેશમાં સૌથી વધુ 5 લાખ કરોડનું દેવું રાજસ્થાન પર છે. હું હંમેશા આ વાત કહું છું કે કોંગ્રેસ અને ભાજપનું અતૂટ ગઠબંધન છે. હવે તેમના નેતાઓ પોતે કહી રહ્યા છે કે ગેહલોત અને વસુંધરા મળીને સરકાર બનાવી રહ્યા છે. આ બહુ ગંભીર બાબત છે. તે ખૂબ જ ડરામણી પણ છે.

શું છે રાજસ્થાન કોંગ્રેસનું સંકટ

સચિન પાયલટના ઉપવાસની જાહેરાત સાથે જ રાજસ્થાન કોંગ્રેસનું સંકટ ફરી એકવાર સપાટી પર આવ્યું છે. આ ઉપવાસને લઈને રાજસ્થાન કોંગ્રેસના બંને જૂથો સામસામે છે. આ સાથે જ કોંગ્રેસની નેતાગીરી પણ એક્શનમાં આવી છે, પરંતુ મામલો ઉકેલાય તેમ લાગતું નથી. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ સચિન પાયલટના ભૂખ હડતાળના નિર્ણયને પક્ષના હિત વિરુદ્ધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવી છે.

સચિન પાયલોટની યોજના મુજબ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે જયપુરના શહીદ સ્મારક ખાતે ઉપવાસ શરૂ કરશે.આ કાર્યક્રમ માટે તેમણે તેમના સમર્થક નેતાઓ કે ધારાસભ્યોને ઔપચારિક આમંત્રણ મોકલ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમના મતવિસ્તાર ટોંક અને જેમાં સવાઈ માધોપુર સહિત અનેક જિલ્લાઓમાંથી તેમના સમર્થકો ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget