Rajasthan Politics: જયપુરમાં આજે કોગ્રેસ નેતા સચિન પાયલટ એક દિવસના કરશે ઉપવાસ, આ કોગ્રેસ નેતાએ આપ્યું સમર્થન
રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે
Rajasthan Congress Crisis: રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ આજે જયપુરમાં એક દિવસ માટે ઉપવાસ કરશે. તેઓ અગાઉની ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરી રહ્યા છે. તેમનો આરોપ છે કે અશોક ગેહલોત સરકારે તેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર કોઈ પગલાં લીધા નથી જેના આધારે તે સત્તામાં આવી હતી. સચિનના આ પગલા પર રાજસ્થાન કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણને એક કવિતા દ્વારા પોતાની વાત રાખી છે. કૃષ્ણનને સચિન પાયલટના સમર્થક માનવામાં આવે છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણને ટ્વિટર પર કવિતા લખી સચિન પાયલટને સમર્થન આપ્યું છે.
Jaipur | Rajasthan Congress leader Sachin Pilot will observe a day-long fast at today calling for 'action on corruption' during the previous Vasundhara Raje-led government pic.twitter.com/7I6jC5nAmD
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023
રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના પ્રભારી વિનય મિશ્રાએ ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે. તે ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે. એક તરફ જ્યાં કોંગ્રેસ પક્ષના નેતાઓ મુશ્કેલીમાં અને લાચારીની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ આપના સમર્થનથી મોટો સંદેશો આપવામાં આવ્યો છે.
हौसलों का “इम्तिहान”
— Acharya Pramod (@AcharyaPramodk) April 10, 2023
बाक़ी है, हसरतों की “उड़ान”
बाक़ी है, मौसम थोड़ा “ख़राब”
सा है लेकिन, बादलों के पार “आसमान”
बाक़ी है. https://t.co/4CeumUR3Po
વિનય મિશ્રાએ ટ્વીટ કર્યું છે કે, 'રાજસ્થાનને આજે જો કોઈએ લૂંટ્યું છે તો તે વસુંધરાજી અને અશોક ગેહલોતજીનું અતૂટ ગઠબંધન છે. જેના કારણે દેશમાં સૌથી વધુ 5 લાખ કરોડનું દેવું રાજસ્થાન પર છે. હું હંમેશા આ વાત કહું છું કે કોંગ્રેસ અને ભાજપનું અતૂટ ગઠબંધન છે. હવે તેમના નેતાઓ પોતે કહી રહ્યા છે કે ગેહલોત અને વસુંધરા મળીને સરકાર બનાવી રહ્યા છે. આ બહુ ગંભીર બાબત છે. તે ખૂબ જ ડરામણી પણ છે.
શું છે રાજસ્થાન કોંગ્રેસનું સંકટ
સચિન પાયલટના ઉપવાસની જાહેરાત સાથે જ રાજસ્થાન કોંગ્રેસનું સંકટ ફરી એકવાર સપાટી પર આવ્યું છે. આ ઉપવાસને લઈને રાજસ્થાન કોંગ્રેસના બંને જૂથો સામસામે છે. આ સાથે જ કોંગ્રેસની નેતાગીરી પણ એક્શનમાં આવી છે, પરંતુ મામલો ઉકેલાય તેમ લાગતું નથી. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ સચિન પાયલટના ભૂખ હડતાળના નિર્ણયને પક્ષના હિત વિરુદ્ધ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવી છે.
સચિન પાયલોટની યોજના મુજબ તેઓ મંગળવારે સવારે 11 વાગ્યે જયપુરના શહીદ સ્મારક ખાતે ઉપવાસ શરૂ કરશે.આ કાર્યક્રમ માટે તેમણે તેમના સમર્થક નેતાઓ કે ધારાસભ્યોને ઔપચારિક આમંત્રણ મોકલ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમના મતવિસ્તાર ટોંક અને જેમાં સવાઈ માધોપુર સહિત અનેક જિલ્લાઓમાંથી તેમના સમર્થકો ભાગ લેશે.