શોધખોળ કરો

Rajsthan Cabinet Reshuffle : ગેહલોત મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ, જાણો કેટલા મંત્રીઓએ લીધા શપથ

અશોક ગેહલોત મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ તમામ નેતાઓને મંત્રીપદના શપથ અપાવ્યા.

અશોક ગેહલોત મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ તમામ નેતાઓને મંત્રીપદના શપથ અપાવ્યા. 11 નેતાઓએ કેબિનેટના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે 4 નેતાઓએ રાજ્યમંત્રીના શપથ લીધા હતા.

સૌથી પહેલા હેમારામ ચૌધરીએ મંત્રી પદના શપથ લીધા છે. હેમારામ ચૌધરી ગુડામલાણી સીટથી ધારાસભ્ય છે. તેઓ 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમને મંત્રીથી લઈને વિરોધ પક્ષના નેતા સુધીનો અનુભવ છે. તમને જણાવી દઈએ કે હેમારામ જાટ સમુદાયમાંથી આવે છે. તેને સચિન પાયલટની નજીક માનવામાં આવે છે.

મહેન્દ્રજીત સિંહ માલવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. મહેન્દ્રજીત બાગીદૌરા સીટના ધારાસભ્ય છે. આ પહેલા પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે. મહેન્દ્રજીત અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. મહેન્દ્રજીત રાજસ્થાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ છે. તેમને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

અશોક ગેહલોત કેબિનેટમાં રામલાલ જાટને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.  રામલાલ જાટ ભૂતકાળમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. રામલાલ જાટ મંડલ સીટથી ધારાસભ્ય છે. તેઓ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. રામલાલ જાટ, જાટ સમુદાયમાંથી આવે છે.

મહેશ જોશીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. મહેશ જોશી હવામહલ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. મહેશ જોશી ત્રણ વખત ધારાસભ્ય છે. તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. મહેશ જોશી કોંગ્રેસના મુખ્ય દંડક છે. તેઓ રાજસ્થાન કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

વિશ્વેન્દ્ર સિંહને ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. વિશ્વેન્દ્ર સિંહ ડીગ-કુમ્હેર સીટથી ધારાસભ્ય છે. કોંગ્રેસ પહેલા વિશ્વેન્દ્ર સિંહ ભાજપમાં હતા. આ સિવાય વિશ્વેન્દ્ર સિંહ ભરતપુર લોકસભા સીટના પૂર્વ સાંસદ પણ છે. ડીગ-કુમ્હેર બેઠક પરથી છેલ્લા બે વખતથી ધારાસભ્ય છે.

રમેશ ચંદ્ર મીણાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ સાપોત્રા સીટના ધારાસભ્ય છે. તે મીણા સમાજમાંથી આવે છે. તેઓ બે વખતથી ધારાસભ્ય છે. તેઓ કરૌલી જિલ્લામાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે રમેશ ચંદ્ર મીણા સચિન પાયલટના નજીકના નેતા છે. 2008માં બીએસપીમાંથી જીત્યા, પછી કોંગ્રેસની સરકાર બન્યા પછી ખાદ્ય અને પુરવઠા વિભાગમાં મંત્રી બન્યા. પાયલોટ કેમ્પના બળવા બાદ તેમને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

મમતા ભૂપેશ બૈરવાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યમંત્રી મમતા ભૂપેશને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ સિકરાઈ સીટથી ધારાસભ્ય છે. મમતા ભૂપેશ બૈરવા અનુસૂચિત સમાજમાંથી આવે છે. આ પહેલા પણ ગેહલોત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

ભજનલાલ જાટવ વેર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે. અગાઉ કૃષિ રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહેલા ભજનલાલ જાટવને ફરી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. હવે તેમને રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ ભરતપુર જિલ્લામાંથી આવે છે.

રાજસ્થાનના અલવર ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રમાંથી આવતા ટીકારામ જુલી રાજ્ય મંત્રી તરીકે કેબિનેટમાં જગ્યા બનાવી રહ્યા હતા. હવે તેમને કેબિનેટ વિસ્તરણમાં બઢતી આપવામાં આવી છે. જુલી પાસે અગાઉ શ્રમ વિભાગની જવાબદારી હતી. તેઓ અલવર ગ્રામીણ સીટથી ધારાસભ્ય છે.

માસ્ટર ભંવર લાલ મેઘવાલના નિધન બાદ કેબિનેટમાં કોઈ દલિત મંત્રી નથી. આવી સ્થિતિમાં ગોવિંદ રામ મેઘવાલ, મહેન્દ્રજીત સિંહ માલવિયા અને મમતા ભૂપેશને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગોવિંદ રામ મેઘવાલ ખાજુવાલા સીટથી ધારાસભ્ય છે. તેઓ અગાઉ પણ ભાજપનો ભાગ રહી ચૂક્યા છે. બીજી વખત ધારાસભ્ય બન્યા છે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ શનિવારે મુખ્યમંત્રીને રાજીનામું સોંપી દીધું હતું, ત્યાર બાદ આજે 15 નેતાઓ મંત્રીઓના શપથ લીધા હતા. જેમાંથી 11 કેબિનેટ મંત્રી બની રહ્યા છે, જ્યારે 4 રાજ્યમંત્રી છે. આ નવા કેબિનેટમાં સચિન પાયલટ કેમ્પના ચાર ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

શપથ ગ્રહણ પહેલા કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે આ વખતે નવા કેબિનેટમાં 4 દલિત મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. અમારો પક્ષ ઈચ્છે છે કે દલિત, ઉપેક્ષિત, પછાત લોકોને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને લાંબા સમયથી અમારી સરકારમાં દલિતોનું કોઈ પ્રતિનિધિત્વ ન હતું, જે હવે વળતર આપવામાં આવ્યું છે. દલિતોની સાથે આદિવાસીઓનું પણ પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે. આ કેબિનેટમાં એક મુસ્લિમ મંત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
Embed widget