શોધખોળ કરો

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ 3rd ODI Post Match: ઈન્દોરમાં કિવી ટીમની ઐતિહાસિક જીત: 2-1 થી શ્રેણી ગુમાવ્યા બાદ ગિલે કહ્યું- 'અમે નિરાશ છીએ, વર્લ્ડ કપ પહેલા સુધારા જરૂરી'; હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી પર આપ્યું મોટું નિવેદન.

IND vs NZ 3rd ODI Post Match: ભારતીય ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કારણ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ભારતીય ધરતી પર એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં કિવી ટીમે ભારતને 41 રને પરાજય આપીને 3 મેચની શ્રેણી 2-1 થી પોતાના નામે કરી લીધી છે. આ માત્ર એક શ્રેણીની જીત નથી, પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતવામાં સફળ રહી છે.

નવાઈની વાત એ છે કે કેન વિલિયમસન, મેટ હેનરી અને મિશેલ સેન્ટનર જેવા દિગ્ગજ સ્ટાર્સની ગેરહાજરીમાં માઈકલ બ્રેસવેલની કેપ્ટનશીપ હેઠળની ટીમે દબાણ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી 'ચેઝ માસ્ટર' વિરાટ કોહલીએ મુશ્કેલ સમયમાં બાથ ભીડીને શાનદાર સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

ઘરઆંગણે મળેલી આ કારમી હાર બાદ ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ખુલીને વાત કરી હતી અને હારના કારણો પર પ્રકાશ ફેંક્યો હતો. ગિલે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં સ્વીકાર્યું કે ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી. તેણે કહ્યું, "પહેલી મેચ બાદ શ્રેણી 1-1 થી બરાબરી પર હતી, પરંતુ નિર્ણાયક મેચમાં અમે જે રીતે રમ્યા તેનાથી અમે ખૂબ જ નિરાશ છીએ. એવા ઘણા ક્ષેત્રો છે જેના પર આપણે ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવાની અને સુધાર કરવાની જરૂર છે." જોકે, તેણે વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યું કે વિરાટ જે લયમાં બેટિંગ કરી રહ્યો છે તે ટીમ માટે હંમેશા સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.

હાર વચ્ચે પણ શુભમન ગિલે કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને સકારાત્મક ગણાવ્યું હતું. તેણે ખાસ કરીને હર્ષિત રાણાની પ્રશંસા કરતા કહ્યું કે, "8 નંબર પર આવીને બેટિંગ કરવી અને રન બનાવવા આસાન નથી હોતું, પરંતુ રાણાએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી છે. ઝડપી બોલરોનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું." આ ઉપરાંત, આગામી ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) ને ધ્યાનમાં રાખીને ગિલે ટીમની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેણે કહ્યું કે મેનેજમેન્ટ નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને વધુ તકો અને ઓવરો આપવા માંગે છે, જેથી વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશન તૈયાર કરી શકાય.

હવે વનડે શ્રેણી પૂરી થયા બાદ એક્શન ટી20 ફોર્મેટમાં શિફ્ટ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21 January થી નાગપુરમાં 5 મેચની ટી20 શ્રેણીનો પ્રારંભ થશે, જેની અંતિમ મેચ 31 January એ તિરુવનંતપુરમમાં રમાશે. આ શ્રેણી વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ત્યારબાદ ભારતીય ટીમ 7 February થી શરૂ થતા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget