શોધખોળ કરો

Ram Mandir Inauguration: અયોધ્યાની ગલીઓમાં નહી નીકળે રામલલ્લા, અચાનક રદ કરાઇ શોભાયાત્રા, જાણો કારણ?

Ram Mandir Inauguration:રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 17 જાન્યુઆરીએ પ્રસ્તાવિત રામ લલ્લાની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

Ram Mandir Opening:  રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 17 જાન્યુઆરીએ પ્રસ્તાવિત રામ લલ્લાની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ટ્રસ્ટના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આખા અયોધ્યા શહેરમાં રામ લલ્લાની મૂર્તિની શોભાયાત્રા કાઢવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેના બદલે ટ્રસ્ટ એ જ દિવસે (17 જાન્યુઆરી) રામ જન્મભૂમિ મંદિર સંકુલની અંદર પ્રતિમાની શોભાયાત્રા કાઢશે.

સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી

તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓની સલાહ પર ટ્રસ્ટે સુરક્ષાના કારણોસર આ પ્રસ્તાવિત કાર્યક્રમને રદ કર્યો છે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

અયોધ્યા પ્રશાસનના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે રામ લલ્લાની નવી મૂર્તિ શહેરમાં લઈ જવામાં આવશે ત્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે અને પ્રશાસન માટે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે.

નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 4000 સંતોને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યા પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી જ કાર્યક્રમની શરૂઆત થઇ જશે.

કાશીના બે વિદ્વાનોના નેતૃત્વમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ માટે આમંત્રિતોને 22 જાન્યુઆરીથી અયોધ્યા આવવાની સલાહ આપવામાં આવી છે જેથી તેમના રોકાણની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ

15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.

18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.

19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.

20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.

21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.

અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.

રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે  લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Panchmahal News । દાહોદમાં કમોસમી વરસાદને કારણે બગડ્યો શુભપ્રસંગAmreli News । અમરેલીના વાવડીમાં શ્વાનનો શિકાર કરવા જતા દીપડો કુવામાં ખાબક્યોAnand News । આણંદ જિલ્લામાં શેતરંજી કૌભાંડમાં 9 વર્ષ બાદ કરાઈ કાર્યવાહીGir Somnath । વેરાવળના મફતિયાપરા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
આફતનો વરસાદઃ રાજ્યમાં ત્રણ લોકો અને 40 પશુઓનાં મોત, 4013 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
બનાસકાંઠામાં માવઠાનો માર, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી, બાજરી સહિત ઉનાળુ પાકને નુકસાન
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
શું તમે ઘરમાં ખોટી પદ્ધતિથી રસોઇ કરો છો? ICMRએ રસોઈ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડી
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ ગંગા પૂજા બાદ ક્રૂઝની કરી સવારી, બનારસથી આજે ભરશે ઉમેદવારી ફોર્મ
Embed widget