શોધખોળ કરો

Ram Mandir Inauguration: આજથી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ, જાણો 22 જાન્યુઆરી સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ?

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની વિગતો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપી હતી

Ram Mandir Pran Pratishtha Details: આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને 20 મીનિટે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે જે એક વાગ્યા સુધી ચાલશે.  મંદિરના ટ્રસ્ટી ચંપતરાયે કહ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિનું વજન 150થી 200 કિલો છે. રામલલાની ઉભી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 18 જાન્યુઆરીના પ્રતિમાને ગર્ભગૃહમાં પોતાના આસન પર મૂકવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જળવાસ, અન્નઆવાસ, શૈયાવાસ અને ફળવાસની પૂજા કરવામાં આવશે. કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજે તૈયાર કરેલી રામલલાની પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની વિગતો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપી હતી. ટ્રસ્ટે ખાસ મહેમાનો કોણ હશે, ઇવેન્ટની તારીખ, સ્થળ અને શુભ સમય અને પૂજાની પદ્ધતિઓ સહિતની સંપૂર્ણ વિગતો જાહેર કરી છે. 

પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સ્થળ


ભગવાન શ્રી રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા યોગનો શુભ સમય પોષ શુક્લ કુર્મ દ્વાદશી, વિક્રમ સંવત 2080, એટલે કે સોમવાર, 22 જાન્યુઆરી, 2024 ના રોજ છે.

શાસ્ત્રીય પદ્ધતિ અને વિધિ પૂર્વેની પરંપરાઓ

તમામ શાસ્ત્રીય પરંપરાઓને અનુસરીને અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની શુભ વિધિ 16 જાન્યુઆરી, 2024થી શરૂ થશે, જે 21 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.

 

દ્વાદશ અધિવાસનું આયોજન નીચે મુજબ કરવામાં આવશે

-16 જાન્યુઆરીઃ પ્રાયશ્ચિત અને કર્મકૂટીની પૂજા

-17 જાન્યુઆરી: મૂર્તિનો પરિસરમાં પ્રવેશ.

-18 જાન્યુઆરી (સાંજ): તીર્થપૂજન, જળયાત્રા, જળાધિવાસ અને ગંધાધિવાસ.

-19 જાન્યુઆરી (સવાર): ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ.

-19 જાન્યુઆરી (સાંજ): ધાન્યાધિવાસ

-20મી જાન્યુઆરી (સવારે): શર્કરાધિવાસ, ફળાધિવાસ

-20 જાન્યુઆરી (સાંજ): પુષ્પાધિવાસ

-21 જાન્યુઆરી (સવાર): મધ્યાધિવાસ

-21 જાન્યુઆરી (સાંજે): શય્યાધિવાસ

 

અધિવાસ પ્રક્રિયા અને આચાર્ય

સામાન્ય રીતે પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં સાત અધિવાસ હોય છે અને વ્યવહારમાં ઓછામાં ઓછા ત્રણ અધિવાસનો અભ્યાસમાં હોય છે. 121 આચાર્યો હશે જેઓ સમારંભની ધાર્મિક વિધિની તમામ પ્રક્રિયાઓનું સંકલન, સમર્થન અને માર્ગદર્શન કરશે. શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે.

વિશેષ અતિથિઓ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

વિવિધ સંસ્થાઓ

ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ, સંપ્રદાય, પૂજા પદ્ધતિઓ, પરંપરાઓના તમામ વિદ્યાલયોના આચાર્યો,  150 થી વધુ પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમંત, મહંત, નાગા સહિત 50 થી વધુ આદિવાસી, ગિરિવાસી, તાતવાસી, દ્વિપવાસી આદિવાસી પરંપરાઓની અગ્રણી વ્યક્તિઓ હાજર રહેશે, જેઓ શ્રી રામ મંદિર પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દર્શન માટે પધારશે.

ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પર્વતો, જંગલો, દરિયાકાંઠાના વિસ્તારો, ટાપુઓ વગેરેના રહેવાસીઓ એક જ સ્થળે આવા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તે પોતાનામાં અનન્ય હશે.

પરંપરાઓનો સમાવેશ થાય છે

શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગાણપત્ય, પાત્ય, શીખ, બૌદ્ધ, જૈન, દશનામ શંકર, રામાનંદ, રામાનુજ, નિમ્બાર્ક, માધ્વ, વિષ્ણુ નામી, રામસનેહી, ઘિસાપંથ, ગરીબદાસી, ગૌડિયા, કબીરપંથી, વાલ્મીકિ, શંકરદેવ (અસમ), માધવ દેવ, ઇસ્કોન, રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, ભારત સેવાશ્રમ સંઘ, ગાયત્રી પરિવાર, અનુકુલ ચંદ્ર ઠાકુર પરંપરા, ઓડિશાનો મહિમા સમાજ, અકાલી, નિરંકારી, નામધારી (પંજાબ), રાધાસ્વામી અને સ્વામિનારાયણ, વારકરી, વીર શૈવ સહિત તમામ સન્માનિત પરંપરાઓ તેમાં ભાગ લેશે.

દર્શન અને ઉત્સવ

ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ તમામ સાક્ષી મહાનુભાવોને દર્શન કરાવવામાં આવશે. શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે તમામ સ્થળે ઉત્સાહનો માહોલ છે. અયોધ્યા સહિત સમગ્ર ભારતમાં તેને ભારે ઉત્સાહ સાથે ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સમારંભ પહેલા વિવિધ રાજ્યોમાંથી લોકો પાણી, માટી, સોનું, ચાંદી, રત્નો, કપડાં, ઝવેરાત, વિશાળ ઘંટ, ઢોલ, સુગંધ વગેરે લઈને સતત આવતા રહે છે. તેમાંથી સૌથી વધુ નોંધપાત્ર હતી મા જાનકીના માતુશ્રીના ઘરેથી મોકલવામાં આવેલ ભાર (દીકરીના ઘરની સ્થાપના સમયે મોકલવામાં આવેલ ભેટ), જે જનકપુર (નેપાળ) અને સીતામઢી (બિહાર)માં તેમના મામાના ઘરેથી અયોધ્યા લાવવામાં આવ્યા હતા. રાયપુર, દંડકારણ્ય ક્ષેત્ર સ્થિત પ્રભુના  વિસ્તારમાં આવેલા પ્રભુના માતૃગૃહમાંથી પણ વિવિધ પ્રકારના આભૂષણોની ભેટ મોકલવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget