શોધખોળ કરો

રામ ઇમામ-એ હિંદ છે, જલદી બને રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરઃ ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ‘ભવિષ્ય કા ભારત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા દ્રષ્ટિકોણ’ કાર્યક્રમના અંતિમ દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે લોકોના સવાલના જવાબ આપ્યા હતા. રામ મંદિર પરના અધ્યાદેશ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે- રામ મંદિર પર અધ્યાદેશનો મામલો સરકારની પાસે છે અને આયોજનનો મામલો રામજન્મ ભૂમિ મુક્તિ સંઘર્ષ સમિતિ પાસે છે અને બંન્નેમાં હું નથી. આંદોલનમાં શું કરવું છે તે ઉચ્ચાધિકાર સમિતિ નક્કી કરે છે. જો તેઓ મારી સલાહ માંગશે તો હું બતાવીશ. હું સંઘના હિસાબે ઇચ્છું છું કે રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર જલદી બનવું જોઇએ. ભગવાન રામ પોતાના દેશમાં બહુમતિ લોકોના ભગવાન છે પરંતુ તેઓ ફક્ત ભગવાન જ નહી. રામને લોકો ઇમામે હિંદ પણ માને છે. એટલા માટે જ્યાં રામ જન્મભૂમિ છે ત્યાં મંદિર બનવું જોઇએ. આ અગાઉ મોહન ભાગવતે બે દિવસો સુધી સંઘ અંગે જાણકારી આપી હતી. સંઘ શું કામ કરે છે? અને સંઘની વિચારધારા શું છે?, હિન્દુત્વ શું છે? એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમે આંતરજાતિય લગ્નનું સમર્થન કરીએ છીએ. માનવ-માનવમાં ભેદ કરવો જોઇએ નહીં. ભારતમાં સંઘના સ્વયંસેવકો સૌથી વધુ આંતરજાતિય વિવાદ કરે છે. સમાજને અભેદ દ્રષ્ટિકોણથી જોવું જરૂરી છે. શું રામાયણ, મહાભારતને દેશની શિક્ષામાં સામેલ કરવા જોઇએ. જેના જવાબમાં ભાગવતે કહ્યું કે, પોતાની પરંપરા પ્રમાણે નવી શિક્ષણ નીતિ બનાવવી જોઇએ. નવી શિક્ષણ નીતિ આવશે. આશા છે કે તેમાં આપણી પરંપરા સામેલ હશે. ગ્રંથોનો અભ્યાસ શિક્ષણમાં ફરજિયાત હોવો જોઇએ એવો સંઘનો મત છે. અનામત પર મોહન ભાગવતે કહ્યું કે, બંધારણમાં જ્યાં જેટલુ અનામત છે તેને સંઘનું સમર્થન રહેશે. અનામત ક્યાં સુધી ચાલશે તેનો નિર્ણય તેઓ કરશે જેમણે અનામત નક્કી કર્યું છે. સામાજિક વિષમતા હટાવીને તમામ લોકો વચ્ચે સમાનતા હોય આ માટે બંધારણમાં જોગવાઇઓ છે. એટલા માટે બંધારણમાં હોય તેવા તમામ અનામતને સંઘનું સમર્થન છે અને રહેશે. અનામત સમસ્યા નથી, અનામતની રાજનીતિ સમસ્યા છે. એસસી-એસટી કાયદા પર ભાગવતે કહ્યું કે, અત્યાચાર દૂર કરવા માટે એક કાયદો બન્યો. આ સારી વાત છે પરંતુ તેનો દુરુપયોગ થવો જોઇએ નહીં. તેનો દુરુપયોગ થાય છે તો  સંઘનું માનવું છે કે આ કાયદાને યોગ્ય રીતે લાગુ કરવો જોઇએ અને તેનો દુરુપયોગ અટકાવવો જોઇએ. આ ફક્ત કાયદાથી નહી થાય. સમાજની સમરસતાની ભાવના તેમાં કામ કરે છે. સદભાવના જાગૃત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું અને સરકારે શું કર્યું તે અંગે હું કાંઇ નહી બોલું. સંઘની ઇચ્છા છે કે કાયદાનું સંરક્ષણ હોય અને તેનો દુરુપયોગ ના થાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget