શોધખોળ કરો

Maharashtra Politics: એકનાથ શિંદેની તાજપોશી બાદ હવે બહુમત સાબિત કરવાની તૈયારી, મુંબઇ પરત ફરશે બળવાખોર ધારાસભ્યો

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો ઝઘડો હવે સમાપ્ત થઈ ગયો છે

Maharashtra Shiv Sena Rebel MLAs: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો ઝઘડો હવે સમાપ્ત થઈ ગયો છે. એકનાથ શિંદે ભાજપમાં જોડાઈને સરકાર બનાવવા જઈ રહ્યા છે અને તેમણે પોતે મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા છે. શિંદેની શપથવિધિ બાદ હવે તેમને સમર્થન કરનારા તમામ ધારાસભ્યો પણ મુંબઈ પરત ફરી શકે છે. કારણ કે આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે અને શિંદે જૂથે બહુમતી સાબિત કરવી પડશે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં શિંદે સરકારે બહુમતિ સાબિત કરવાની છે. જો કે, હાલના આંકડાઓમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે શિંદે જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને સરળતાથી બહુમત સાબિત કરશે.

મહારાષ્ટ્રમાં બળવાખોર જૂથો સત્તામાં છે

21 જૂનના રોજ અચાનક શિવસેના કેમ્પમાં હલચલ મચી ગઈ હતી અને ધીમે ધીમે 39 ધારાસભ્યોએ પાર્ટીમાંથી બળવો કરીને સુરત થઈને ગુવાહાટી અને પછી ગોવામાં ધામા નાખ્યા હતા. બળવાખોર જૂથ છેલ્લા દસ દિવસથી સતત દાવો કરી રહ્યું છે કે તેની પાસે બહુમતી છે, પરંતુ હજુ સુધી ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો નથી. આથી મહારાષ્ટ્રના રાજ્યપાલે નવી સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવા કહ્યું છે. જેના માટે એકનાથ શિંદે તૈયારી કરી લીધી છે.

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે કુલ 106 ધારાસભ્યો છે. આ સાથે 11 વધુ ધારાસભ્યો પણ એકનાથ શિંદેની સાથે છે. જો આ તમામ ધારાસભ્યોને જોડવામાં આવે તો તેઓ બહુમતીથી 23થી વધુ છે. એટલે કે જો ભાજપ અને શિંદે જૂથના દાવા સાચા સાબિત થશે તો નવી સરકાર જંગી બહુમતીથી જીતશે. આ ઉપરાંત આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે.

ભાજપનો ચોંકાવનારો નિર્ણય

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહેવાતા દેવેન્દ્ર ફડણવીસ આગામી સીએમ બનશે, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે એકનાથ શિંદેનું નામ આગળ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ પછી શિંદેએ ફડણવીસના જોરદાર વખાણ કર્યા. જેમાં તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે. પોતે 106 ધારાસભ્યોની પાર્ટી હોવા છતાં મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget