શોધખોળ કરો

SCએ કહ્યુ- પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નહી, કોગ્રેસ-LJPએ કર્યો વિરોધ

ખંડપીઠે કહ્યું કે પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારો બાધ્ય કરવામાં આવી શકે નહીં.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, પ્રમોશનમાં અનામત એ મૌલિક અધિકાર નથી. તે સિવાય રાજ્ય સરકાર પણ પ્રમોશનમાં અનામત લાગુ કરવા માટે બાધ્ય નથી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે પોતાના એક નિર્ણયમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારો બાધ્ય કરવામાં આવી શકે નહીં. એટલું જ નહી કોર્ટ પણ સરકારને આ માટે મજબૂર કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 16(4) તથા (4એ)માં જે જોગવાઇઓ છે જે હેઠળ રાજ્ય સરકાર એસસી અને એસટીના ઉમેદવારોને પ્રમોશનમાં અનામત આપી શકે છે પરંતુ આ નિર્ણય રાજ્ય સરકારનો જ રહેશે. જો કોઇ રાજ્ય સરકાર આમ કરવા માંગતી નથી તો તેને સાર્વજનિક સેવાઓમાં એ વર્ગના પ્રતિનિધિત્વની અછતના સંબંધમાં ડેટા એકઠા કરવો પડશે કારણ કે અનામત વિરુદ્ધ મામલો ઉઠવા પર આ આંકડાઓ કોર્ટમાં રાખવા પડશે જેથી તેમના ઇરાદાઓ જાણી શકાય છે. પરંતુ સરકારોને આ માટે મજબૂર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ આદેશ ઉત્તરાખંડ હાઇકોર્ટના 15 નવેમ્બર 2019ના એ નિર્ણય પર આવ્યો છે જેમાં તેણે રાજ્ય સરકારને સેવા કાયદો 1994ની કલમ 3(7) હેઠળ એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું જ્યારે ઉત્તરાખંડ સરકારે અનામત નહી પવાનો નિર્ણય કર્યો હતો. આ કેસ ઉત્તરાખંડના લોક નિર્માણ વિભાગમાં સહાયક એન્જિનિયરના પદો પર પ્રમોશનમાં એસસી-એસટીના કર્મચારીઓને અનામત આપવાનો મામલો છે. જેમાં સરકારે અનામત નહી આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે હાઇકોર્ટે સરકારને આ કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું. રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક અને દલિત નેતા ઉદિત રાજે કહ્યું કે,કોગ્રેસ પાર્ટી આ નિર્ણય સાથે અસહમત છે. આ ચુકાદો ભાજપ શાસિત ઉત્તરાખંડ સરકારના વકીલોની દલીલોના કારણે આવ્યો છે. કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્ધારા સાત ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા નિર્ણય કે જેમાં કોર્ટે કહ્યુ હતું કે, સરકાર એસસી અને એસટી અને અન્ય પછાત વર્ગને સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામત આપવા માટે બાધ્ય નથી. સૂત્રોના મતે ચિરાગ પાસવાન લોકસભામાં આ મુદ્દો ઉઠાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Embed widget