શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી રમવાને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો ગર્ભિત ઈશારો

પાકિસ્તાનની ટીમ વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી.

S Jaishankar On India Pakistan Cricket Series: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ શ્રેણી યોજાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 10 વર્ષથી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ હતી. આઈસીસીની શ્રેણી ઉપરાંત સિવાય એશિયા કપમાં જ બંને દેશ એકબીજા સામે રમે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ક્રિકેટ સિરીઝ વર્ષ 2013માં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે શ્રેણી રમવાની ઘસીને ના પાડી ચુક્યું છે. હવે ભારતના વિદેશ મંત્રીએ પણ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. 

પાકિસ્તાનની ટીમ વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. જો કે, બંને દેશોમાં એક વર્ગ એવો છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી જોવા માંગે છે. પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકરે બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ સીરીઝને લઈને મોટું નિવેદન આપ્યું છે.

એશિયા કપના આયોજનને લઈને હોબાળો

વર્ષ 2023માં યોજાનાર એશિયા કપના આયોજનને લઈને અત્યારથી જ હોબાળો મચ્ચ્યો છે. આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે. જેને લઈને ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારતીય ટીમ પ્રવાસ પર નહીં જાય. થોડા દિવસો પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ છંછેડાયા હતાં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતમાં આગામી વર્ષે યોજાનારા 50 ઓવરના વર્લ્ડકપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સીરીઝ રમવાનો ઈનકાર કરી દીધો છે. 

એસ જયશંંકરે કહ્યું કે...

એક વાતચીત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, સૌ કોઈ જાણે છે કે અમારી વિચારધારા શું છે. તેમણે કહ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાન પહેલા આતંકવાદને ખતમ કરે, ત્યાર બાદ જ બંને દેશો વચ્ચે ક્રિકેટ સિરીઝ રમાઈ શકશે. તેમના મતે ક્રિકેટ સિરીઝ તો આવતી રહશે. વર્તમાનમાં અમારું સ્ટેન્ડ શું છે તે સૌકોઈ નથી જાણતા? જોઈએ આગળ શું થાય છે? તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ એવું ના માનવું કે આતંકવાદ પર કોઈપણ દેશનો અધિકાર છે. જ્યાં સુધી આપણે તેને ખતમ નહીં કરીએ ત્યાં સુધી તે યથાવત જ રહેશે. આતંકવાદનો અંત ત્યારે જ થશે જ્યારે આતંકવાદનો સામનો કરી રહેલા દેશો જ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. કારણ કે જે લોહી વહે છે તે આપણું લોહી છે. આમ વિદેશ મંત્રીના નિવેદનથી એ બાબત સ્પષ્ટ છે કે, આવનાર નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન એમ બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget