શોધખોળ કરો

IND vs PAK: પાકિસ્તાન સાથે ક્રિકેટ શ્રેણી રમવાને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો ગર્ભિત ઈશારો

પાકિસ્તાનની ટીમ વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી.

S Jaishankar On India Pakistan Cricket Series: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ શ્રેણી યોજાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 10 વર્ષથી દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ હતી. આઈસીસીની શ્રેણી ઉપરાંત સિવાય એશિયા કપમાં જ બંને દેશ એકબીજા સામે રમે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ક્રિકેટ સિરીઝ વર્ષ 2013માં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે શ્રેણી રમવાની ઘસીને ના પાડી ચુક્યું છે. હવે ભારતના વિદેશ મંત્રીએ પણ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. 

પાકિસ્તાનની ટીમ વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. જો કે, બંને દેશોમાં એક વર્ગ એવો છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી જોવા માંગે છે. પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકરે બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ સીરીઝને લઈને મોટું નિવેદન આપ્યું છે.

એશિયા કપના આયોજનને લઈને હોબાળો

વર્ષ 2023માં યોજાનાર એશિયા કપના આયોજનને લઈને અત્યારથી જ હોબાળો મચ્ચ્યો છે. આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાન કરવા જઈ રહ્યું છે. જેને લઈને ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારતીય ટીમ પ્રવાસ પર નહીં જાય. થોડા દિવસો પહેલા BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી. જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ છંછેડાયા હતાં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતમાં આગામી વર્ષે યોજાનારા 50 ઓવરના વર્લ્ડકપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટ સીરીઝ રમવાનો ઈનકાર કરી દીધો છે. 

એસ જયશંંકરે કહ્યું કે...

એક વાતચીત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, સૌ કોઈ જાણે છે કે અમારી વિચારધારા શું છે. તેમણે કહ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાન પહેલા આતંકવાદને ખતમ કરે, ત્યાર બાદ જ બંને દેશો વચ્ચે ક્રિકેટ સિરીઝ રમાઈ શકશે. તેમના મતે ક્રિકેટ સિરીઝ તો આવતી રહશે. વર્તમાનમાં અમારું સ્ટેન્ડ શું છે તે સૌકોઈ નથી જાણતા? જોઈએ આગળ શું થાય છે? તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ એવું ના માનવું કે આતંકવાદ પર કોઈપણ દેશનો અધિકાર છે. જ્યાં સુધી આપણે તેને ખતમ નહીં કરીએ ત્યાં સુધી તે યથાવત જ રહેશે. આતંકવાદનો અંત ત્યારે જ થશે જ્યારે આતંકવાદનો સામનો કરી રહેલા દેશો જ તેના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. કારણ કે જે લોહી વહે છે તે આપણું લોહી છે. આમ વિદેશ મંત્રીના નિવેદનથી એ બાબત સ્પષ્ટ છે કે, આવનાર નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન એમ બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget