શોધખોળ કરો

Supreme Court On Demonetisation: સુપ્રીમ કોર્ટે કહ્યુ- નોટબંધીના નિર્ણયની તપાસ કરાશે, કેન્દ્ર સરકાર અને RBI પાસે માંગ્યો જવાબ

નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો

Supreme Court On Demonetisation: નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તે આ મામલામાં સરકારના નીતિ વિષયક નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગેની 'લક્ષ્મણ રેખા'થી સંપૂર્ણપણે વાકેફ છે, પરંતુ તે ચોક્કસપણે 2016ના નોટબંધીના નિર્ણયની તપાસ કરશે. તે આ તપાસ એ જાણવા માટે કરશે કે આ મામલો માત્ર 'એકેડેમિક' કવાયત તો નહોતી. સુપ્રીમ કોર્ટ કેસની આગામી સુનાવણી 9 નવેમ્બર, 2022ના રોજ કરશે.  પીએમ મોદી દ્વારા નોટબંધીની અચાનક જાહેરાત બાદ 80 ટકા ચલણી નોટોને બેકાર કરવાની બંધારણીય માન્યતાને અરજીમાં પડકારવામાં આવી છે.

એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ કહ્યું હતું કે જ્યાં સુધી નોટબંધી સંબંધિત કાયદાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકારવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો આવશ્યકપણે  ‘એકેડેમિક’ રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કવાયતને ‘એકેડેમિક’ અથવા નિરર્થક જાહેર કરવા માટે આ બાબતની તપાસ કરવાની જરૂર છે કારણ કે બંને પક્ષો સહમત નથી.

નોટબંધી કેવી રીતે થઈ તેની તપાસ થવી જોઈએ

બંધારણીય બેંચે કહ્યું હતું કે આ કવાયત ‘એકેડેમિક’ છે કે નહીં અથવા ન્યાયિક સમીક્ષાના દાયરાની બહાર છે તે પાસાને જવાબ આપવા માટે અમારે તેને સાંભળવું પડશે. બેન્ચે વધુમાં કહ્યું કે, અમે હંમેશા જાણીએ છીએ કે ‘લક્ષ્મણ રેખા’ ક્યાં છે પરંતુ જે રીતે તેને કરવામાં આવ્યું હતું તેની તપાસ થવી જોઇએ. અમારે આ નક્કી કરવા માટે વકીલોની દલીલો સાંભળવી પડશે.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ₹500 અને ₹1,000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો જવાબ આપવા માટે તેની ફાઈલો તૈયાર રાખવી જોઈએ. સરકારે જવાબ આપવો પડશે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના મોડી સાંજના સંબોધનમાં અચાનક નોટબંધીની જાહેરાત કરી ત્યારે તમામ નોટોમાંથી 80 ટકાથી વધુ નોટ ચલણમાં હતી. સરકારે આ કેસમાં જવાબ આપવો પડશે કે પગલું "ભ્રષ્ટાચાર વિરોધી" હતું. આ અંગે કેન્દ્ર અને રિઝર્વ બેંક બંનેએ તેમના જવાબો દાખલ કરવા જોઈએ.

નોટબંધી જાહેર થયાના થોડા દિવસોમાં ઘણા લોકોએ કોર્ટમાં જઇને ચલણી નોટોને નકામી બનાવવાની બંધારણીય માન્યતા પર સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ આ મુદ્દાઓને લાંબા સમય સુધી સુનાવણી માટે સુચિબદ્ધ કરવામાં આવ્યું નહોતું. જાહેરાતના એક મહિના પછી ડિસેમ્બર 2016માં તેને સૌપ્રથમવાર પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યું હતું.

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એકેડેમિક મુદ્દાઓ પર કોર્ટનો સમય "બગાડવો" જોઈએ નહીં. મહેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવતા અરજદાર વિવેક નારાયણ શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે તેઓ "બંધારણીય બેંચના સમયનો બગાડ" જેવા શબ્દોથી આશ્ચર્યચકિત છે કારણ કે અગાઉની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દાઓ બંધારણીય બેંચ સમક્ષ મૂકવામાં આવો જોઇએ. અન્ય પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. ચિદમ્બરમે કહ્યું હતું કે આ મુદ્દો એકેડમિક નથી અને તે સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે આવા નોટબંધી માટે સંસદમાંથી અલગ એક્ટની જરૂર છે.

નોટબંધી બાદ 2016માં અરજી દાખલ કરવામાં આવી હતી

16 ડિસેમ્બર, 2016 ના રોજ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની આગેવાની હેઠળની બેંચે નોટબંધીના નિર્ણયની માન્યતા અને અન્ય મુદ્દાઓ સાથે સંબંધિત પ્રશ્નો પાંચ જજની બંધારણીય બેંચને મોકલ્યા હતા. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તે સમયે કહ્યું હતું કે 2016નું નોટિફિકેશન ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યુ હતું. ત્યારે સવાલ એ હતો કે શું તે બંધારણની કલમ 14 અને 19ની વિરુદ્ધ છે? કલમ 300(a) જણાવે છે કે કોઈપણ વ્યક્તિને કાયદાકીય રીતે સુરક્ષિત તેની મિલકતથી વંચિત રાખવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget