શોધખોળ કરો

Supreme Court On Demonetisation: સુપ્રીમ કોર્ટે કહ્યુ- નોટબંધીના નિર્ણયની તપાસ કરાશે, કેન્દ્ર સરકાર અને RBI પાસે માંગ્યો જવાબ

નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો

Supreme Court On Demonetisation: નોટબંધી કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તે આ મામલામાં સરકારના નીતિ વિષયક નિર્ણયોની ન્યાયિક સમીક્ષા અંગેની 'લક્ષ્મણ રેખા'થી સંપૂર્ણપણે વાકેફ છે, પરંતુ તે ચોક્કસપણે 2016ના નોટબંધીના નિર્ણયની તપાસ કરશે. તે આ તપાસ એ જાણવા માટે કરશે કે આ મામલો માત્ર 'એકેડેમિક' કવાયત તો નહોતી. સુપ્રીમ કોર્ટ કેસની આગામી સુનાવણી 9 નવેમ્બર, 2022ના રોજ કરશે.  પીએમ મોદી દ્વારા નોટબંધીની અચાનક જાહેરાત બાદ 80 ટકા ચલણી નોટોને બેકાર કરવાની બંધારણીય માન્યતાને અરજીમાં પડકારવામાં આવી છે.

એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ કહ્યું હતું કે જ્યાં સુધી નોટબંધી સંબંધિત કાયદાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પડકારવામાં નહીં આવે ત્યાં સુધી આ મુદ્દો આવશ્યકપણે  ‘એકેડેમિક’ રહેશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કવાયતને ‘એકેડેમિક’ અથવા નિરર્થક જાહેર કરવા માટે આ બાબતની તપાસ કરવાની જરૂર છે કારણ કે બંને પક્ષો સહમત નથી.

નોટબંધી કેવી રીતે થઈ તેની તપાસ થવી જોઈએ

બંધારણીય બેંચે કહ્યું હતું કે આ કવાયત ‘એકેડેમિક’ છે કે નહીં અથવા ન્યાયિક સમીક્ષાના દાયરાની બહાર છે તે પાસાને જવાબ આપવા માટે અમારે તેને સાંભળવું પડશે. બેન્ચે વધુમાં કહ્યું કે, અમે હંમેશા જાણીએ છીએ કે ‘લક્ષ્મણ રેખા’ ક્યાં છે પરંતુ જે રીતે તેને કરવામાં આવ્યું હતું તેની તપાસ થવી જોઇએ. અમારે આ નક્કી કરવા માટે વકીલોની દલીલો સાંભળવી પડશે.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ₹500 અને ₹1,000ની ચલણી નોટો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયનો જવાબ આપવા માટે તેની ફાઈલો તૈયાર રાખવી જોઈએ. સરકારે જવાબ આપવો પડશે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના મોડી સાંજના સંબોધનમાં અચાનક નોટબંધીની જાહેરાત કરી ત્યારે તમામ નોટોમાંથી 80 ટકાથી વધુ નોટ ચલણમાં હતી. સરકારે આ કેસમાં જવાબ આપવો પડશે કે પગલું "ભ્રષ્ટાચાર વિરોધી" હતું. આ અંગે કેન્દ્ર અને રિઝર્વ બેંક બંનેએ તેમના જવાબો દાખલ કરવા જોઈએ.

નોટબંધી જાહેર થયાના થોડા દિવસોમાં ઘણા લોકોએ કોર્ટમાં જઇને ચલણી નોટોને નકામી બનાવવાની બંધારણીય માન્યતા પર સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ આ મુદ્દાઓને લાંબા સમય સુધી સુનાવણી માટે સુચિબદ્ધ કરવામાં આવ્યું નહોતું. જાહેરાતના એક મહિના પછી ડિસેમ્બર 2016માં તેને સૌપ્રથમવાર પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યું હતું.

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે એકેડેમિક મુદ્દાઓ પર કોર્ટનો સમય "બગાડવો" જોઈએ નહીં. મહેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવતા અરજદાર વિવેક નારાયણ શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે તેઓ "બંધારણીય બેંચના સમયનો બગાડ" જેવા શબ્દોથી આશ્ચર્યચકિત છે કારણ કે અગાઉની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દાઓ બંધારણીય બેંચ સમક્ષ મૂકવામાં આવો જોઇએ. અન્ય પક્ષે હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. ચિદમ્બરમે કહ્યું હતું કે આ મુદ્દો એકેડમિક નથી અને તે સર્વોચ્ચ અદાલતે નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે આવા નોટબંધી માટે સંસદમાંથી અલગ એક્ટની જરૂર છે.

નોટબંધી બાદ 2016માં અરજી દાખલ કરવામાં આવી હતી

16 ડિસેમ્બર, 2016 ના રોજ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની આગેવાની હેઠળની બેંચે નોટબંધીના નિર્ણયની માન્યતા અને અન્ય મુદ્દાઓ સાથે સંબંધિત પ્રશ્નો પાંચ જજની બંધારણીય બેંચને મોકલ્યા હતા. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તે સમયે કહ્યું હતું કે 2016નું નોટિફિકેશન ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યુ હતું. ત્યારે સવાલ એ હતો કે શું તે બંધારણની કલમ 14 અને 19ની વિરુદ્ધ છે? કલમ 300(a) જણાવે છે કે કોઈપણ વ્યક્તિને કાયદાકીય રીતે સુરક્ષિત તેની મિલકતથી વંચિત રાખવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
Embed widget