શોધખોળ કરો
બિહારના પ્રભારી પદેથી શક્તિસિંહ ગોહિલને કરાયા મુક્ત,જાણો કોને સોંપાય પ્રભારીની જવાબદારી ?
કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલનું બિહારના પ્રભારી તરીકેનું રાજીનામું હાઇકમાન્ડે સ્વીકારી લીધું છે.

કોંગ્રેસના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલનું બિહારના પ્રભારી તરીકેનું રાજીનામું હાઇકમાન્ડે સ્વીકારી લીધું છે. બિહારના પ્રભારી તરીકે કૉંગ્રેસે ભક્ત ચરણ દાસની નિમણૂક કરી છે. શક્તિસિંહ ગોહિલ દિલ્હીના ઇન્ચાર્જ તરીકે યથાવત રહેશે.
ગુજરાતથી રાજ્યસભા સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ પાર્ટી પદથી મુક્ત થવા ઈચ્છતા હતા. તેમણે સોમવારે ખુદ ટ્વિટ કરીને પોતાની ઈચ્છા જનતા અને પાર્ટી નેતૃત્વ સમક્ષ રાખી હતી.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, અંગત કારણોથી હું કોંગ્રેસના મોવડીમંડળને રજૂઆત કરી છે કે મને હળવી જવાબદારી આપવામાં આવે અને બિહારના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે. નવેમ્બર 2020માં શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે તેમણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement