શોધખોળ કરો

‘ભસ્માસુરને આશીર્વાદ આપશો તો આવું જ થશે’: કાશીના મંદિરોને નોટિસ મળતા શંકરાચાર્ય લાલઘૂમ

Shankaracharya news સરકાર પર આકરા પ્રહાર, 10 માર્ચે દિલ્હીમાં મળશે સંતોની મહાસભા, 'તીર્થ' શબ્દ અને બાંકે બિહારી મંદિર વિવાદે પણ સરકારને લીધી આડે હાથ.

Shankaracharya Avimukteshwaranand news: વારાણસીમાં મહાનગર પાલિકા દ્વારા મઠ અને મંદિરોને નોટિસ ફટકારવાના મુદ્દે હવે ધર્મગુરુઓ અને સરકાર વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (Shankaracharya Avimukteshwaranand) સરસ્વતીએ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કાશીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તાધીશોની સરખામણી પૌરાણિક રાક્ષસ 'ભસ્માસુર' સાથે કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.

"ભસ્માસુરનો આશીર્વાદ અને પરિણામ" 

શંકરાચાર્યએ ખૂબ જ તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "જો તમે ભસ્માસુરને આશીર્વાદ આપશો, તો તેનું ફળ તો ભોગવવું જ પડશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જેમ ભગવાન શિવના આશીર્વાદથી શક્તિશાળી બનેલો ભસ્માસુર ખુદ શિવજીને જ ભસ્મ કરવા દોડ્યો હતો, તેવી જ સ્થિતિ અત્યારે મઠ અને મંદિરોની છે. જેમના આશીર્વાદ અને સમર્થનથી લોકો સત્તામાં આવ્યા છે, આજે તેઓ જ 'ભસ્માસુર' બનીને મઠો અને મંદિરોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે સનાતની સમાજ અને સંતો એકજૂથ છે અને અન્યાય સાંખી લેવામાં આવશે નહીં.

દિલ્હીમાં સંતોની મોટી મહાસભા

સરકારના આ વલણ સામે રણનીતિ ઘડવા માટે શંકરાચાર્યએ એક મોટી જાહેરાત કરી છે. આગામી ૧૦ અને ૧૧ માર્ચ ના રોજ દિલ્હીમાં સંતો અને ઋષિઓની એક વિશાળ પરિષદ બોલાવવામાં આવી છે. શંકરાચાર્યએ કહ્યું કે, "જેમ રાજકીય પક્ષો ટેકો પાછો ખેંચવાની વાત કરે છે, તેમ હવે સંતોએ પણ વિચારવાનો સમય પાકી ગયો છે કે આ સત્તાધીશો પર આશીર્વાદ કાયમ રાખવા કે પાછા ખેંચી લેવા."

'તીર્થ' શબ્દ અને બાંકે બિહારી મંદિર વિવાદ 

મનરેગા જેવી સરકારી યોજનાઓમાં કે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે 'તીર્થ' (Teerth) શબ્દ જોડવા સામે પણ શંકરાચાર્યએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અમને યોજનાઓ સામે વાંધો નથી, પરંતુ પવિત્ર 'તીર્થ' શબ્દનો ઉપયોગ સરકારી કચેરીઓ માટે ન થવો જોઈએ.

વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર (Banke Bihari Temple) માં બાલ ભોગમાં થયેલા વિલંબ અંગે પણ તેમણે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે જ્યારે ધાર્મિક સ્થળોનો વહીવટ સરકારી બાબુઓના હાથમાં સોંપવામાં આવે છે, ત્યારે આવું જ થાય છે. અધિકારીઓ 'ધર્મનિરપેક્ષ' હોય છે અને તેમને વિધિ-વિધાન કે પરંપરાનું જ્ઞાન હોતું નથી. જો મંદિરો સરકાર હસ્તક રહેશે તો આવી ભૂલો રોજ થશે અને પરંપરાઓ તૂટતી રહેશે. તેમણે માંગ કરી હતી કે ધાર્મિક સ્થળોનું સંચાલન માત્ર ધાર્મિક લોકોના હાથમાં જ હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર

વિડિઓઝ

Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરોમાં મેયરરાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
Weather Update: રાજ્યમાં સવારથી વેધરની બદલાઇ પેટર્ન, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
IPL 2026: રાજસ્થાનને 7 વિકેટે હરાવી ગુજરાતની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, ગિલની સદી
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ
IPL ફાઈનલને લઈ અમદાવાદમાં ક્રિકેટ ફિવર, 2 સ્પેશિયલ ટ્રેન દોડશે, હોટેલમાં એડવાન્સ બુકિંગ શરૂ
ગરીબ બાળકો માટે મોટી રાહત, સરકાર આપી રહી છે દર વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે મળશે લાભ
ગરીબ બાળકો માટે મોટી રાહત, સરકાર આપી રહી છે દર વર્ષે 12 હજાર શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે મળશે લાભ
Embed widget