શોધખોળ કરો

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

UP Assembly Election: ગૌહત્યા મુદ્દે સરકાર ગંભીર ન હોવાનો આક્ષેપ, વડાપ્રધાન કાર્યાલયનું નામ 'સેવા તીર્થ' રાખવા સામે કોર્ટમાં જવાની ચીમકી.

Shankaracharya Avimukteshwaranand statement: જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મેરઠ ખાતે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગૌરક્ષકો યુપીની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે સરકાર સંતોના આશીર્વાદથી ચાલે છે પણ ગૌહત્યા રોકવામાં નિષ્ફળ છે, તેના પર હવે પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આ ઉપરાંત તેમણે PMO નું નામ બદલવા અને ઘૂસણખોરી જેવા મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી.

ગૌરક્ષકો લડશે ચૂંટણી: દિલ્હીમાં ઘડાશે રણનીતિ

મેરઠ પહોંચેલા જગદગુરુ શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીત કરતા આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગાયોની રક્ષા માટે હવે સંત સમાજે આગળ આવવું પડશે. આ ઉદ્દેશ્ય સાથે ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પણ ગૌરક્ષકોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. આ અંગેની ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આગામી 10 અને 11 માર્ચે દિલ્હીમાં સંતોનું એક મહાસમેલન બોલાવવામાં આવ્યું છે.

‘ગૌહત્યા બંધ નહીં થાય તો આશીર્વાદ પાછા ખેંચાશે’

સરકાર પર આકરા પ્રહારો કરતા શંકરાચાર્યએ કહ્યું હતું કે, "કોઈપણ સત્તા ઋષિ-મુનિઓના આશીર્વાદથી ટકેલી હોય છે. પરંતુ જો તે સરકાર ગૌહત્યા જેવા ગંભીર મુદ્દે આંખ આડા કાન કરે, તો સંતોએ પોતાના આશીર્વાદ ચાલુ રાખવા કે કેમ તે અંગે ફેરવિચારણા કરવી પડશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે માત્ર હિન્દુ રાષ્ટ્રની વાતો કરવાથી કઈ નહીં થાય, પહેલા વર્તમાન સ્થિતિમાં સાચા અને યોગ્ય હિન્દુ બનવું જરૂરી છે.

'સેવા તીર્થ' નામ સામે ઉગ્ર વિરોધ

વડાપ્રધાન કાર્યાલય (PMO) નું નામ બદલીને 'સેવા તીર્થ' કરવાના પ્રસ્તાવ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, "તીર્થ તો એને કહેવાય જ્યાં પાપો ધોવાતા હોય. વડાપ્રધાન નિવાસસ્થાને એવું કયું પવિત્ર જળ છે? ત્યાં લોકો ચામડાના બૂટ-ચંપલ પહેરીને જાય છે અને માંસાહાર પણ થાય છે. તેથી ત્યાં 'તીર્થ' શબ્દનો ઉપયોગ અયોગ્ય છે." તેમણે ચીમકી આપી હતી કે જો આ નામ રાખવામાં આવશે તો જરૂર પડ્યે તેઓ આંદોલન કરશે અને કોર્ટના દરવાજા પણ ખખડાવશે.

ભાજપ-કોંગ્રેસ અને ઘૂસણખોરી પર નિશાન

રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે ભાજપ અને કોંગ્રેસના સંબંધોને 'પતિ-પત્ની' જેવા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બંને પક્ષો એકબીજાના કામોમાં માત્ર વિરોધ કે મજબૂરીનો ટેકો જ શોધે છે. ઘૂસણખોરી મુદ્દે સરકારને સવાલ કરતા તેમણે કહ્યું કે, "તમારા 20 વર્ષના શાસનમાં તમે ઘૂસણખોરોને અંદર આવવા દીધા અને હવે તેમને બહાર કાઢવાના નામે વોટ માંગો છો? આ જનતાને મૂર્ખ બનાવવાની વાત છે."

બાબરી મસ્જિદ અને SIR મુદ્દે સ્પષ્ટતા

અન્ય મુદ્દાઓ પર વાત કરતા તેમણે 'SIR' (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) અથવા મતદાર યાદી સુધારણાને યોગ્ય ગણાવી હતી. જ્યારે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાના પ્રસ્તાવ પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આક્રમણખોર બાબરના નામ પર કોઈપણ મસ્જિદનું નિર્માણ અસ્વીકાર્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
1 એપ્રિલથી ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર, હવે ફક્ત Fastag અને ડિજિટલ પેમેન્ટ જ થઈ શકશે
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
EPFOએ સરળ કરી PF ક્લેમની પ્રક્રિયા, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
Embed widget