શોધખોળ કરો

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

UP Assembly Election: ગૌહત્યા મુદ્દે સરકાર ગંભીર ન હોવાનો આક્ષેપ, વડાપ્રધાન કાર્યાલયનું નામ 'સેવા તીર્થ' રાખવા સામે કોર્ટમાં જવાની ચીમકી.

Shankaracharya Avimukteshwaranand statement: જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મેરઠ ખાતે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગૌરક્ષકો યુપીની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે સરકાર સંતોના આશીર્વાદથી ચાલે છે પણ ગૌહત્યા રોકવામાં નિષ્ફળ છે, તેના પર હવે પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આ ઉપરાંત તેમણે PMO નું નામ બદલવા અને ઘૂસણખોરી જેવા મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી.

ગૌરક્ષકો લડશે ચૂંટણી: દિલ્હીમાં ઘડાશે રણનીતિ

મેરઠ પહોંચેલા જગદગુરુ શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીત કરતા આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગાયોની રક્ષા માટે હવે સંત સમાજે આગળ આવવું પડશે. આ ઉદ્દેશ્ય સાથે ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પણ ગૌરક્ષકોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. આ અંગેની ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આગામી 10 અને 11 માર્ચે દિલ્હીમાં સંતોનું એક મહાસમેલન બોલાવવામાં આવ્યું છે.

‘ગૌહત્યા બંધ નહીં થાય તો આશીર્વાદ પાછા ખેંચાશે’

સરકાર પર આકરા પ્રહારો કરતા શંકરાચાર્યએ કહ્યું હતું કે, "કોઈપણ સત્તા ઋષિ-મુનિઓના આશીર્વાદથી ટકેલી હોય છે. પરંતુ જો તે સરકાર ગૌહત્યા જેવા ગંભીર મુદ્દે આંખ આડા કાન કરે, તો સંતોએ પોતાના આશીર્વાદ ચાલુ રાખવા કે કેમ તે અંગે ફેરવિચારણા કરવી પડશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે માત્ર હિન્દુ રાષ્ટ્રની વાતો કરવાથી કઈ નહીં થાય, પહેલા વર્તમાન સ્થિતિમાં સાચા અને યોગ્ય હિન્દુ બનવું જરૂરી છે.

'સેવા તીર્થ' નામ સામે ઉગ્ર વિરોધ

વડાપ્રધાન કાર્યાલય (PMO) નું નામ બદલીને 'સેવા તીર્થ' કરવાના પ્રસ્તાવ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, "તીર્થ તો એને કહેવાય જ્યાં પાપો ધોવાતા હોય. વડાપ્રધાન નિવાસસ્થાને એવું કયું પવિત્ર જળ છે? ત્યાં લોકો ચામડાના બૂટ-ચંપલ પહેરીને જાય છે અને માંસાહાર પણ થાય છે. તેથી ત્યાં 'તીર્થ' શબ્દનો ઉપયોગ અયોગ્ય છે." તેમણે ચીમકી આપી હતી કે જો આ નામ રાખવામાં આવશે તો જરૂર પડ્યે તેઓ આંદોલન કરશે અને કોર્ટના દરવાજા પણ ખખડાવશે.

ભાજપ-કોંગ્રેસ અને ઘૂસણખોરી પર નિશાન

રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે ભાજપ અને કોંગ્રેસના સંબંધોને 'પતિ-પત્ની' જેવા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બંને પક્ષો એકબીજાના કામોમાં માત્ર વિરોધ કે મજબૂરીનો ટેકો જ શોધે છે. ઘૂસણખોરી મુદ્દે સરકારને સવાલ કરતા તેમણે કહ્યું કે, "તમારા 20 વર્ષના શાસનમાં તમે ઘૂસણખોરોને અંદર આવવા દીધા અને હવે તેમને બહાર કાઢવાના નામે વોટ માંગો છો? આ જનતાને મૂર્ખ બનાવવાની વાત છે."

બાબરી મસ્જિદ અને SIR મુદ્દે સ્પષ્ટતા

અન્ય મુદ્દાઓ પર વાત કરતા તેમણે 'SIR' (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) અથવા મતદાર યાદી સુધારણાને યોગ્ય ગણાવી હતી. જ્યારે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાના પ્રસ્તાવ પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આક્રમણખોર બાબરના નામ પર કોઈપણ મસ્જિદનું નિર્માણ અસ્વીકાર્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget