શોધખોળ કરો

Mahakumbh 2025: શંકરાચાર્યએ વીડિયો કોલ પર સીએમ યોગીને આપ્યો ઠપકો, વીડિયો વાયરલ, જાણો શું છે ઘટના

Swami Avimukteshwaranand: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે સીએમ યોગીને ખખડાવ્યાં છે.

Maha Kumbh 2025 Prayagraj: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહાકુંભની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા અને કોઈને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયો કોલ પર વાતચીત દરમિયાન શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઠપકો આપે છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું સત્ય શું છે? શું શંકરાચાર્યએ ખરેખર સીએમ યોગીને ફટકાર લગાવી છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શંકરાચાર્ય કહેતા જોવા મળી રહ્યા છે, "તમે કહી રહ્યા હતા કે મેં પૂરી વ્યવસ્થા કરી છે. તમે કહી રહ્યા હતા કે 40 કરોડ લોકો આવવાના છે અને મેં 100 કરોડની વ્યવસ્થા કરી છે." તેમની વાતના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફટકાર લગાવી છે. દાવો કરવામાં આવે છે કે આ ઘટના બાદ શંકરાચાર્યએ સીએમ યોગીને વીડિયો કોલ પર ઠપકો આપ્યો હતો.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

શંકરાચાર્યના વાયરલ વીડિયો પાછળનું સત્ય

પરંતુ તેનું સત્ય કંઈક બીજું છે. ખરેખર, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આ વીડિયો એક ગુજરાતી પત્રકારને આપેલા ઈન્ટરવ્યુનો છે. એટલે કે વીડિયો કોલ પર શંકરાચાર્ય સીએમ યોગી સાથે નહીં પરંતુ એક ગુજરાતી પત્રકાર સાથે વાત કરી રહ્યા હતા, આ વીડિયો 3 ફેબ્રુઆરી 2025ના રોજ જમાવટ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ચેનલ એન્કર દિવાંશી જોશીએ શંકરાચાર્યનો વીડિયો કોલ પર ઇન્ટરવ્યુ લીધો હતું. જેમાં શંકરાચાર્યે આ બધી વાતો કહી  હતી.

 જ્યારે ચેનલના એન્કરે શંકરાચાર્યને મહાકુંભમાં થયેલા નાસભાગમાં થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો તો શંકરાચાર્યએ તેનો જવાબ આપતાં આ બધી વાતો કહી. ચેનલ એન્કર દિવંશી જોશી અને શંકરાચાર્યના શિષ્ય વિપિન દવે, જે વીડિયોમાં ફોન હાથમાં રાખેલા જોવા મળે છે, બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. સ્પષ્ટ છે કે, શંકરાચાર્યનો આ વીડિયો એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો ભાગ છે. તેમણે સીએમ યોગી સાથે વીડિયો કોલ પર વાત કરી નથી. તેમનો વીડિયો સીએમ યોગી સાથે સંબંધિત હોવાનું કહીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget