શોધખોળ કરો

Mahakumbh 2025: શંકરાચાર્યએ વીડિયો કોલ પર સીએમ યોગીને આપ્યો ઠપકો, વીડિયો વાયરલ, જાણો શું છે ઘટના

Swami Avimukteshwaranand: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે સીએમ યોગીને ખખડાવ્યાં છે.

Maha Kumbh 2025 Prayagraj: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહાકુંભની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા અને કોઈને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયો કોલ પર વાતચીત દરમિયાન શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઠપકો આપે છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું સત્ય શું છે? શું શંકરાચાર્યએ ખરેખર સીએમ યોગીને ફટકાર લગાવી છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શંકરાચાર્ય કહેતા જોવા મળી રહ્યા છે, "તમે કહી રહ્યા હતા કે મેં પૂરી વ્યવસ્થા કરી છે. તમે કહી રહ્યા હતા કે 40 કરોડ લોકો આવવાના છે અને મેં 100 કરોડની વ્યવસ્થા કરી છે." તેમની વાતના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફટકાર લગાવી છે. દાવો કરવામાં આવે છે કે આ ઘટના બાદ શંકરાચાર્યએ સીએમ યોગીને વીડિયો કોલ પર ઠપકો આપ્યો હતો.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP News (@abpnewstv)

શંકરાચાર્યના વાયરલ વીડિયો પાછળનું સત્ય

પરંતુ તેનું સત્ય કંઈક બીજું છે. ખરેખર, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આ વીડિયો એક ગુજરાતી પત્રકારને આપેલા ઈન્ટરવ્યુનો છે. એટલે કે વીડિયો કોલ પર શંકરાચાર્ય સીએમ યોગી સાથે નહીં પરંતુ એક ગુજરાતી પત્રકાર સાથે વાત કરી રહ્યા હતા, આ વીડિયો 3 ફેબ્રુઆરી 2025ના રોજ જમાવટ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ચેનલ એન્કર દિવાંશી જોશીએ શંકરાચાર્યનો વીડિયો કોલ પર ઇન્ટરવ્યુ લીધો હતું. જેમાં શંકરાચાર્યે આ બધી વાતો કહી  હતી.

 જ્યારે ચેનલના એન્કરે શંકરાચાર્યને મહાકુંભમાં થયેલા નાસભાગમાં થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો તો શંકરાચાર્યએ તેનો જવાબ આપતાં આ બધી વાતો કહી. ચેનલ એન્કર દિવંશી જોશી અને શંકરાચાર્યના શિષ્ય વિપિન દવે, જે વીડિયોમાં ફોન હાથમાં રાખેલા જોવા મળે છે, બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. સ્પષ્ટ છે કે, શંકરાચાર્યનો આ વીડિયો એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો ભાગ છે. તેમણે સીએમ યોગી સાથે વીડિયો કોલ પર વાત કરી નથી. તેમનો વીડિયો સીએમ યોગી સાથે સંબંધિત હોવાનું કહીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Embed widget