શોધખોળ કરો

શરદ પવારે પીએમ મોદી સામે સંજય રાઉતના મુદ્દે રજૂઆત કરી, જાણો વડાપ્રધાન મોદીએ શું જવાબ આપ્યો

શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, મેં સંજય રાઉતની મિલકતો જપ્ત કરવાનો મામલો વડાપ્રધાનના ધ્યાન પર મુક્યો હતો.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બેઠક દરમિયાન શરદ પવારે પીએમ મોદી સામે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, "મેં  સંજય રાઉતની મિલકતો જપ્ત કરવાનો મામલો વડાપ્રધાનના ધ્યાન પર મુક્યો. જો કોઈ કેન્દ્રીય એજન્સી આવું પગલું ભરશે તો તેણે તેની જવાબદારી લેવી પડશે. આ કાર્યવાહી તેમના  વિરૂદ્ધ કરવામાં આવી હતી. કારણ કે તે સરકાર વિરુદ્ધ બોલે છે?”  શરદ પવારે કહ્યું, "વડાપ્રધાને કોઈ જવાબ આપ્યો નથી. મને આશા પણ નહોતી કે તેઓ કોઈ જવાબ આપશે. મેં માત્ર મારી વાત તેમની રાખી છે."

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેટલાક જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની અને તેના બે સહયોગીઓની રૂ. 11.15 કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરેલી મિલકતો પાલઘર અને થાણેમાં પ્લોટના સ્વરૂપમાં છે, જેના પર ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ એમ રાઉતનો કબજો છે.

આ ઉપરાંત, સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત પાસે દાદર, મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગના કિહિમ બીચ પર આઠ પ્લોટ છે, જે વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરની સંયુક્ત માલિકી છે. સ્વપ્ના પાટકર સુજીત પાટકરની પત્ની છે. ED અનુસાર, સુજીત પાટકર શિવસેનાના રાજ્યસભા સભ્ય અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતના નજીકના સહયોગી છે.

EDની આ કાર્યવાહી બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે EDએ સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget