![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sharad Pawar: NCP કમિટીએ શરદ પવારનું રાજીનામું કર્યું નામંજૂર, પ્રફુલ્લ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર પાર્ટીમાં શરદ પવારને એનસીપીના પ્રમુખ બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી.
![Sharad Pawar: NCP કમિટીએ શરદ પવારનું રાજીનામું કર્યું નામંજૂર, પ્રફુલ્લ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ Sharad Pawar: Praful Patel Wants Sharad Pawar to Rethink Decision Sharad Pawar: NCP કમિટીએ શરદ પવારનું રાજીનામું કર્યું નામંજૂર, પ્રફુલ્લ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/895c9be8563c04162d7868b1b80366101683258658030315_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર પાર્ટીમાં શરદ પવારને એનસીપીના પ્રમુખ બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી.
NCP's Core Committee passes a proposal requesting party chief Sharad Pawar to continue to lead the party. https://t.co/ZtMdfofcAw pic.twitter.com/kH3e0YO4ah
— ANI (@ANI) May 5, 2023
#WATCH | NCP's Core Committee meeting underway in Mumbai after party chief Sharad Pawar announced his resignation from the post. pic.twitter.com/HzfkpBqBJ2
— ANI (@ANI) May 5, 2023
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ NCPની કોર કમિટીની બેઠક મુંબઈમાં ચાલી રહી છે. દરમિયાન, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમજ સમિતિએ શરદ પવારનું રાજીનામાનું નામંજૂર કર્યું હતું.
Sharad Pawar Ji announced his resignation all of a sudden on 2nd May. He appointed a committee of party leaders for further action and to elect a new president. Today, we had a meeting of the committee: Praful Patel, Vice-President, Nationalist Congress Party pic.twitter.com/yW9d2om0Jz
— ANI (@ANI) May 5, 2023
એનસીપીની બેઠક શરૂ થયાની 10 મિનિટમાં જ પવારનું રાજીનામું ફગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ નેતાઓ હવે શરદ પવારને મનાવવા જશે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે નવા પાર્ટી અધ્યક્ષ માટે નિર્ણય લેવો મુશ્કેલ રહેશે. પક્ષના નેતાઓ પવારને પક્ષ પ્રમુખ તરીકે યથાવત રહેવા માટે અપીલ કરી રહ્યા છે.
Several leaders including me met Pawar Saheb and we requested him continuously to rethink over his decision as the country and party needs him at this hour. Not only NCP leaders but other party leaders and eminent personalities also requested him to continue as party chief:…
— ANI (@ANI) May 5, 2023
આ બેઠક બાદ પ્રફુલ્લ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'તે સમયે પણ બધા લોકોએ શરદ પવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મારા જેવા પાર્ટીના ઘણા મોટા નેતાઓ તેમને મળ્યા અને તેમને રાજીનામું પાછું ખેંચવા કહ્યું ત્યારથી અમે તેમને વારંવાર વિનંતી કરી રહ્યા છીએ કે આજે દેશ અને પાર્ટીને તમારી જરૂર છે. તમારા વિના આ પક્ષ ચાલી શકશે નહીં અને તમે આ પક્ષના આધારસ્તંભ છો. તમે જાણો છો કે શરદ પવાર આખા દેશમાં આદરણીય નેતા છે. તમારા ચાહકો દરેક રાજ્યમાં છે અને તેમનો પ્રભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે.
કમિટીની બેઠકમાં પાસ કરવામાં આવેલા ઠરાવનો ઉલ્લેખ કરતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસમાં ઘણા કાર્યકરોએ તેમની લાગણીઓ અમને જણાવી છે. પવારના નિર્ણયથી તમામ કાર્યકરો દુખી અને નારાજ છે. આજે કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. અમે શરદ પવારને સતત બે-ત્રણ દિવસથી મળી રહ્યા હતા અને તેમનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી રહ્યા હતા. આજે બેઠકમાં એક સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે શરદ પવારે તેમનું રાજીનામું પાછું ખેંચી લેવું જોઈએ અને સમિતિ તેમના નિર્ણયનો અસ્વીકાર કરે છે.
Pawar Saheb took the decision without informing us. Considering all the demands of the party workers and leader we took a meeting today and the committee has passed a proposal unanimously. The committee unanimously rejects this resignation and we request him to continue on his… pic.twitter.com/Z64Elxy5eW
— ANI (@ANI) May 5, 2023
આ બેઠક પહેલા જ જયંત પાટીલે ટ્વીટ કર્યું હતું કે અમે શરદ પવાર સાથે છીએ. પવારના રાજીનામાના વિરોધમાં એક કાર્યકર્તાએ પોતાના પર કેરોસીન છાંટ્યું હતું.આ પહેલા શરદ પવારે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે 18 સભ્યોની સમિતિની રચના કરી હતી, જેમાં પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, પીસી ચાકો, નરહરિ જિરવાલ, અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ, છગન ભુજબળ, દિલીપ વલસે- પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અને પાર્ટીના અન્ય નેતાઓ સામેલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)