શોધખોળ કરો

કેન્દ્ર સરકાર માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ કરી શકે છે CAAના નિયમ, પોર્ટલ થયું તૈયારઃ સૂત્ર

સૂત્રોએ જણાવ્યું કે, અરજદારોએ તેઓ પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા તે વર્ષ દર્શાવવું જરૂરી છે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.

Amended Citizenship Act: નાગરિકતા સંશોધન કાયદો માર્ચના પ્રથમ સપ્તાહથી અમલમાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. એનડીટીવી સૂત્રોના જણાવ્યા અનુસાર, CAAના નિયમો માર્ચના પહેલા અઠવાડિયામાં અથવા તેના પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે.

શું કહ્યું સૂત્રોએ

સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ એનડીટીવીને જણાવ્યું છે કે CAA લાગુ કરવા માટે યોગ્ય પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ તે વર્ષ દર્શાવવું આવશ્યક છે જેમાં તેઓ પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.

CAA કાયદો એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના તે લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ ખોલે છે, જેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે. આ કાયદામાં કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી,.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહી હતી આ વાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શનિવારે કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) લાગુ કરવાના નિયમો આગામી લોકસભા ચૂંટણી પહેલા જારી કરવામાં આવશે અને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

અમિત શાહે કહ્યું, “CAA એ દેશનો કાયદો છે અને તેનું નોટિફિકેશન ચોક્કસપણે બહાર પાડવામાં આવશે. તે ચૂંટણી પહેલા રિલીઝ થશે. આ અંગે કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.તેમણે કહ્યું કે પડોશી દેશોમાં અત્યાચાર ગુજારતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવી એ પણ કોંગ્રેસ નેતૃત્વનું વચન હતું.

ગૃહમંત્રીએ કહ્યું, “જ્યારે વિભાજન થયું ત્યારે હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી – દરેક ત્યાં ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારત આવવા માંગતા હતા. તેઓએ (કોંગ્રેસના નેતાઓ) આ લોકોને નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તમારું બધાનું સ્વાગત છે. પરંતુ (કોંગ્રેસ) નેતાઓએ તેમનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી. તેમણે કહ્યું, “આપણા મુસ્લિમ ભાઈઓને CAAના મુદ્દે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA દ્વારા કોઈની નાગરિકતા છીનવી શકાતી નથી, કારણ કે આ કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. CAA એવા લોકોને નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યું છે જેઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારનો સામનો કરીને આવ્યા છે. આ કાયદાનો કોઈએ વિરોધ ન કરવો જોઈએ.

ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા CAA પસાર કરવામાં આવ્યા પછી અને રાષ્ટ્રપતિ પાસેથી સંમતિ પ્રાપ્ત થયા પછી, દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ થયો હતો. ચાર વર્ષથી વધુના વિલંબ પછી, CAAના અમલીકરણ માટે નિયમો બનાવવા જરૂરી છે. 

CAA હેઠળ, કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં આવેલા હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવા માંગે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
AAJ No Muddo : આજનો મુદ્દો : નહી બચી શકે ભેળસેળીયાઓ
Ahmedabad Waterlogging: વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી અમદાવાદમાં જળફર્ફ્યુ
Dholka Rain Update: અમદાવાદનું ધોળકા બન્યું જળમગ્ન, બજાર, સોસાયટીમાં ફરી વળ્યા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast:ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Embed widget