શોધખોળ કરો

કેન્દ્ર સરકાર માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ કરી શકે છે CAAના નિયમ, પોર્ટલ થયું તૈયારઃ સૂત્ર

સૂત્રોએ જણાવ્યું કે, અરજદારોએ તેઓ પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા તે વર્ષ દર્શાવવું જરૂરી છે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.

Amended Citizenship Act: નાગરિકતા સંશોધન કાયદો માર્ચના પ્રથમ સપ્તાહથી અમલમાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર CAAના નિયમો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં લાગુ થઈ શકે છે. એનડીટીવી સૂત્રોના જણાવ્યા અનુસાર, CAAના નિયમો માર્ચના પહેલા અઠવાડિયામાં અથવા તેના પછીના કોઈપણ દિવસે લાગુ કરવામાં આવશે, નિયમોના અમલીકરણ સાથે CAA કાયદો અમલમાં આવશે.

શું કહ્યું સૂત્રોએ

સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ એનડીટીવીને જણાવ્યું છે કે CAA લાગુ કરવા માટે યોગ્ય પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન હશે. અરજદારોએ તે વર્ષ દર્શાવવું આવશ્યક છે જેમાં તેઓ પ્રવાસ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.

CAA કાયદો એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ 2019 એ ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના તે લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ ખોલે છે, જેમણે લાંબા સમયથી ભારતમાં આશ્રય લીધો છે. આ કાયદામાં કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી,.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહી હતી આ વાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ શનિવારે કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) લાગુ કરવાના નિયમો આગામી લોકસભા ચૂંટણી પહેલા જારી કરવામાં આવશે અને લાભાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

અમિત શાહે કહ્યું, “CAA એ દેશનો કાયદો છે અને તેનું નોટિફિકેશન ચોક્કસપણે બહાર પાડવામાં આવશે. તે ચૂંટણી પહેલા રિલીઝ થશે. આ અંગે કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ.તેમણે કહ્યું કે પડોશી દેશોમાં અત્યાચાર ગુજારતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવી એ પણ કોંગ્રેસ નેતૃત્વનું વચન હતું.

ગૃહમંત્રીએ કહ્યું, “જ્યારે વિભાજન થયું ત્યારે હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી – દરેક ત્યાં ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારત આવવા માંગતા હતા. તેઓએ (કોંગ્રેસના નેતાઓ) આ લોકોને નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તમારું બધાનું સ્વાગત છે. પરંતુ (કોંગ્રેસ) નેતાઓએ તેમનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી. તેમણે કહ્યું, “આપણા મુસ્લિમ ભાઈઓને CAAના મુદ્દે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA દ્વારા કોઈની નાગરિકતા છીનવી શકાતી નથી, કારણ કે આ કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. CAA એવા લોકોને નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યું છે જેઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક અત્યાચારનો સામનો કરીને આવ્યા છે. આ કાયદાનો કોઈએ વિરોધ ન કરવો જોઈએ.

ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા CAA પસાર કરવામાં આવ્યા પછી અને રાષ્ટ્રપતિ પાસેથી સંમતિ પ્રાપ્ત થયા પછી, દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ થયો હતો. ચાર વર્ષથી વધુના વિલંબ પછી, CAAના અમલીકરણ માટે નિયમો બનાવવા જરૂરી છે. 

CAA હેઠળ, કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં આવેલા હિન્દુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવા માંગે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget