શોધખોળ કરો

PM Modi on Twang : તવાંગ ઘર્ષણ બાદ પીએમ મોદીનો ચીનને સણસનતો જવાબ

તેમણે કહ્યું હતું કે, ભારતને કોઈ દબાવી શકશે નહીં. પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી.

Sri Aurobindo Anniversary: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશ સરહાદે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના તવાંગમાં તાજેતરમાં થયેલા ઘર્ષણને લઈને ચીનને જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિના અવસરે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને આ દરમિયાન તેમણે ચીનને વળતો જવાબ આપ્યો હતો.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, વિપરીત પરિસ્થિતિમાં ભારત થોડું મુરઝાઈ શકે છે-થોડું દબાઈ શકે છે પરંતુ ભારત ક્યારેય નષ્ટ નહીં થઈ શકે. તેમણે કહ્યું હતું કે, ભારતને કોઈ દબાવી શકશે નહીં. પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકોને થોડી ઈજા થઈ હતી.

નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિના અવસરે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, શ્રી અરબિંદોનું જીવન અને જન્મ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે. તેમનો જન્મ બંગાળમાં થયો હોવા છતાં, તેમણે તેમનું મોટાભાગનું જીવન ગુજરાત અને પુડુચેરીમાં વિતાવ્યું હતું. તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની ઊંડી છાપ છોડી. આઝાદીની અમરતા માટે આ એક મહાન પ્રેરણા છે.'''''''' આ સાથે તેમણે કહ્યું કે શ્રી અરબિંદોને હિન્દી, મરાઠી, બંગાળી અને સંસ્કૃત સહિત ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે આપણો ભારત ઘણા સંયોગો જોઈ રહ્યો છે. ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે.

આ દરમિયાન વડાપ્રધાને ચીનનું નામ લીધા વિના જ તેને સણસણતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે,ભારત એ અમર બીજ છે જેને પ્રતિકૂળ સંજોગોમાં થોડું દબાવી શકાય છે, તે થોડું મુરઝાઈ શકે છે, પરંતુ તે મરી શકતું નથી કારણ કે ભારત માનવ સંસ્કૃતિનો સૌથી શુદ્ધ વિચાર છે, માનવતાનો સૌથી કુદરતી અવાજ છે.' તેમણે કહ્યું હતું કે, ભારત થોડું મુરઝાઈ શકે છે-થોડું દબાઈ શકે છે પરંતુ ભારત ક્યારેય નષ્ટ નહીં થઈ શકે. 

ફર્સ્ટ ઈન્ડિયા પર કરી રહ્યાં છીએ કામ

પીએમ મોદી કહ્યું હતું કે, બંગાળના ભાગલા સમયે શ્રી અરબિંદોએ No Compromiseનો નારો આપ્યો હતો. લોકો આવી દેશભક્તિને પ્રેરણા સ્ત્રોત માનતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માનતા હતા. આજે આપણે વિકસિત ભારત બનાવવા માટે તમામ વિચારો અપનાવી રહ્યા છીએ. કોઈપણ સમાધાન વગર ઈન્ડિયા ફર્સ્ટ પર કામ કરવું.

15 ઓગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરબિંદો એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નિવેદન અનુસાર, 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવ' અંતર્ગત પુડુચેરીના કમ્બન કલાઈ સંગમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી અરવિંદોના સન્માનમાં આ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget