શોધખોળ કરો

5 વર્ષ સુધી જેલ! ટ્રેનમાંથી ધાબળા, ઓશીકું કે ટુવાલ ચોરી કરશો તો આવી બનશે, જાણો નિયમ

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. જેમાં લાખો લોકો દરરોજ મુસાફરી કરે છે. તેનું સંચાલન કરવા માટે 12 લાખ કર્મચારીઓ કામ કરે છે.

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. જેમાં લાખો લોકો દરરોજ મુસાફરી કરે છે. તેનું સંચાલન કરવા માટે 12 લાખ કર્મચારીઓ કામ કરે છે, જે કોઈપણ દેશની રેલવે સિસ્ટમમાં સૌથી વધુ છે, અને તે દેશના લગભગ દરેક ખૂણાને એકબીજા સાથે જોડે છે. તેથી જ તેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.

આપણે બધા સમયાંતરે આપણી જરૂરિયાત અને શોખ અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ. આ સાથે આપણે મુસાફરી દરમિયાન રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો લાભ પણ લઈએ છીએ. આમાંની કેટલીક સુવિધાઓનો ચાર્જ સીધો ચૂકવવો પડે છે અને કેટલીક માટે પરોક્ષ રીતે.

આવી જ એક સુવિધા ટ્રેનમાં એસી ક્લાસ (થર્ડ એસી, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી) ના કોચમાં ઉપલબ્ધ બેડ રોલ છે, જેમાં ધાબળો, ચાદર, ઓશીકું અને ટુવાલનો સમાવેશ થાય છે.

શું તમે રેલ્વેનો આ નિયમ જાણો છો ?

આ બેડરોલ મુસાફરોને તેમની સીટ પર IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા પૂરો પાડવામાં આવે છે, જેનું બુકિંગ ટિકિટ બુકિંગ સાથે કરવામાં આવે છે, અને તેના ચાર્જ પણ ટિકિટ સાથે જોડાયેલા હોય છે.

આ બેડરોલ મુસાફરીના અંતે રેલવેને પરત કરવો પડશે. આ દરેક મુસાફરની નૈતિક જવાબદારી છે. તેને તમારી સાથે લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. કારણ કે આ બધું રેલવેની મિલકત છે.

પરંતુ શું તમે જાણો છો કે જો તમે ટ્રેનમાંથી ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ લઈ જતા પકડાઈ જાઓ તો તમારી સાથે શું થઈ શકે છે ? જાણો  દેશનો કાયદો આ વિશે શું કહે છે.

ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ ચોરી કરવા બદલ સજા

જો કોઈ મુસાફર ટ્રેનમાંથી રેલ્વે ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ લઈ જતા રંગે હાથ પકડાય છે, તો તેને ₹ 1000 નો દંડ ભરવો પડશે. અને જો તે 1000 રૂપિયાનો દંડ ભરવાનો ઇનકાર કરે છે અથવા અસમર્થતા વ્યક્ત કરે છે, તો કાયદામાં 1 વર્ષની જેલની જોગવાઈ છે. તો ભૂલથી પણ આવું ક્યારેય ન કરો.

ચાલો તમને જણાવી દઈએ કે, ભારતીય  રેલવેમાં ધાબળા, ચાદર, ઓશીકું વગેરેને રેલવેની મિલકત માનવામાં આવે છે. જો ચોરી થાય તો, રેલવે પ્રોપર્ટી એક્ટ, 1966  હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો પહેલી વાર પકડાય તો એક વર્ષ સુધીની જેલ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, એટલે કે, જો આ ગુનો એકથી વધુ વખત પુનરાવર્તિત થાય છે, તો 5 વર્ષ સુધીની જેલ અને દંડ બંને થઈ શકે છે.

રેલવેના નિયમો કહે છે કે જો ચોરીના માલ સાથે પકડાય તો રેલવે પોલીસ (GRP) અથવા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) મુસાફર સામે કાર્યવાહી કરી શકે છે. તેથી મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી દરમિયાન મળેલો માલ તેમની સીટ પર છોડી દે અથવા તેને એટેન્ડન્ટને પરત કરે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
Embed widget