શોધખોળ કરો

કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

આ પહેલા ખુદ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ અજીત પવાર સાથે વાત કરી હતી.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજિત પવારના રાજીનામા બાદ રાજ્યની રાજનીતિએ ફરી એક વખત પલટી મારી છે. તેના કારણે દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને ભાજપની સરકાર ત્રણ દિવસમાં પડી ગઈ. પરંતુ આ ત્રણ દિવસમાં એનસીપી પ્રમુખ શરદ પ્રવાર સતત અજિત પવારને મનાવવામાં લાગ્યા હતા. તેમણે પરિવારના સભ્યો અને પાર્ટીના નેતાઓને સતત અજિત પવાર સાથે મુલાકાત કરવા માટે મોકલ્યા હતા. કહેવાય છે કે, અજીત પવારને સમજાવવામાં સુપ્રિયા સુલેના પતિ સદાનંદ સુલેની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જાણકારી પ્રમાણે સદાનંદ સુલેએ અજીત પવારને મનાવ્યા હતા. કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપધ લીધા બાદથી જ તેમના પર દબાણ હતું કે તે એનસીપીસમાં પાછા ફરે. આ માટે તેના ભાઈ શ્રીનિવાસ પવાર આગળ આવ્યા હતા. બાદમાં સુપ્રિયાના પતિ સદાનંદ સુલેએ અજીત પવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હતા. સદાનંદ સુલે એનસીપી સુપ્રીમો શરદ પવારની એકમાત્ર પુત્રી સુપ્રિયા સુલેના પતિ છે. સદાનંદ અને સુપ્રિયાની મુલાકાત પૂણેમાં થઈ હતી. તે સમયે સુપ્રિયા એક અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હતી. એક પારિવારિક મિત્રના ત્યાં સુપ્રિયાની મુલાકાત અમેરિકામાં નોકરી કરતા સદાનંદ સુલે સાથે થઈ હતી. થોડા સમય પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બંનેએ લગ્ન માટે પોતાના પરિવાર સાથે ચર્ચા કરી હતી. રસપ્રદ છે કે સદાનંદ સુલે શિવસેનાના સંસ્થાપક બાલા સાહબ ઠાકરેના સંબધી હતી. કહેવામાં આવે છે કે તે સમયે બંનેના લગ્નની વાત પણ બાલા સાહેબ ઠાકરેએ કરી હતી. સુપ્રિયા બાલા સાહેબને કાકા કહીને બોલાવતી હતી. જે સમયે સુપ્રિયાના લગ્ન સદાનંદ સાથે થયા ત્યારે સદાનંદ વિદેશમાં નોકરી કરતા હતા. બંનેને રેવતી નામની 15 વર્ષની પુત્રી અને 11 વર્ષનો વિજય નામનો પુત્ર છે. કોણ છે સદાનંદ સુલે? જેણે અજીત પવારના રાજીનામા અને ઘર વાપસીમાં ભજવી મહત્ત્વની ભૂમિકા આ પહેલા ખુદ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ અજીત પવાર સાથે વાત કરી હતી. બંનેએ અજીત પવારને પક્ષ અને પરિવારને ટેકો આપવા સમજાવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર અજીત પવારને સમજાવવા માટે શરદ પવારના પત્ની પ્રતિભા પવારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રતિભા પવારે અજીતને પરિવાર સાથે જોડાયેલા રહેવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે અજીતને કહ્યું હતું કે તેઓ માફ કરવા તૈયાર છે પરંતુ પહેલા તેમણે રાજીનામું આપવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget