શોધખોળ કરો

‘ઇસ્લામના નામે આતંકવાદી સંગઠન...’, ઓસ્ટ્રેલિયામાં થયેલ આતંકી હુમલા પર મુખ્ય ઇમામ ઇલ્યાસીનું મોટું નિવેદન

Imam Ilyasi: વર્તમાન સમયમાં ઇસ્લામના નામે ફેલાવવામાં આવતા આતંકવાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આજે દુર્ભાગ્યવશ ઇસ્લામના નામે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Imam Ilyasi: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર બનેલી હિંસક ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ મામલે ભારતના 'ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ ઈમામ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઈલ્યાસીએ એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. તેમણે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સિડનીમાં જે કાંઈ પણ બન્યું તે અત્યંત દર્દનાક છે. નિર્દોષ લોકોના લોહી વહેવડાવનારાઓની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.

ઇમામ ઇલ્યાસીએ હુમલાખોરો અને માનવતાવાદીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, "આ ઘટનામાં જેમણે નિર્દોષોની હત્યા કરી તે માણસો નહીં પણ 'શેતાન' હતા. જ્યારે જે વ્યક્તિએ પોતાના જીવના જોખમે લોકોને બચાવ્યા, તે સાચા અર્થમાં મુસ્લિમ હતો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇસ્લામ ધર્મ હંમેશા જીવનનું રક્ષણ કરવાનું શીખવે છે, કોઈનો જીવ લેવાનું નહીં. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો દયા અને કરુણા છે, હિંસા નહીં.

વર્તમાન સમયમાં ઇસ્લામના નામે ફેલાવવામાં આવતા આતંકવાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આજે દુર્ભાગ્યવશ ઇસ્લામના નામે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેટલાક આતંકવાદી સંગઠનો ધર્મના ઓઠા હેઠળ પોતાની દુકાનો ચલાવી રહ્યા છે અને માનવતા વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આવા ઉગ્રવાદ અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે.

પીડિત પરિવારો પ્રત્યે એકજુટતા દર્શાવવા માટે તેમણે એક મોટી જાહેરાત કરી છે. મુખ્ય ઇમામ તરીકે તેમણે જણાવ્યું કે, "ભારતની તમામ 5.5 લાખ મસ્જિદો વતી, આવતા શુક્રવારે (જુમ્મા) અમે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરીશું. અમે માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ માટે અલ્લાહને દુઆ કરીશું." તેમણે સમાજને સંદેશ આપ્યો કે માનવતા જ આપણો સૌથી મોટો અને શ્રેષ્ઠ ધર્મ છે.

આ હુમલા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં ભારત ઓસ્ટ્રેલિયાના લોકો સાથે ખભેખભા મિલાવીને ઉભું છે. સમગ્ર દેશ વતી તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. ભારત હંમેશા આતંકવાદના કોઈપણ સ્વરૂપનો વિરોધ કરતું આવ્યું છે અને આ ઘટનામાં પણ ભારતની સહાનુભૂતિ પીડિતો સાથે છે.

ઘટનાની વિગતો મુજબ, 14 ડિસેમ્બરના રોજ સિડનીમાં યહૂદી તહેવાર 'હનુક્કાહ'ની ઉજવણી ચાલી રહી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ બર્બરતાપૂર્ણ કૃત્યમાં 15 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget