શોધખોળ કરો

‘ઇસ્લામના નામે આતંકવાદી સંગઠન...’, ઓસ્ટ્રેલિયામાં થયેલ આતંકી હુમલા પર મુખ્ય ઇમામ ઇલ્યાસીનું મોટું નિવેદન

Imam Ilyasi: વર્તમાન સમયમાં ઇસ્લામના નામે ફેલાવવામાં આવતા આતંકવાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આજે દુર્ભાગ્યવશ ઇસ્લામના નામે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Imam Ilyasi: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર બનેલી હિંસક ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ મામલે ભારતના 'ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ ઈમામ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઈલ્યાસીએ એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. તેમણે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સિડનીમાં જે કાંઈ પણ બન્યું તે અત્યંત દર્દનાક છે. નિર્દોષ લોકોના લોહી વહેવડાવનારાઓની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.

ઇમામ ઇલ્યાસીએ હુમલાખોરો અને માનવતાવાદીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, "આ ઘટનામાં જેમણે નિર્દોષોની હત્યા કરી તે માણસો નહીં પણ 'શેતાન' હતા. જ્યારે જે વ્યક્તિએ પોતાના જીવના જોખમે લોકોને બચાવ્યા, તે સાચા અર્થમાં મુસ્લિમ હતો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇસ્લામ ધર્મ હંમેશા જીવનનું રક્ષણ કરવાનું શીખવે છે, કોઈનો જીવ લેવાનું નહીં. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો દયા અને કરુણા છે, હિંસા નહીં.

વર્તમાન સમયમાં ઇસ્લામના નામે ફેલાવવામાં આવતા આતંકવાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આજે દુર્ભાગ્યવશ ઇસ્લામના નામે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેટલાક આતંકવાદી સંગઠનો ધર્મના ઓઠા હેઠળ પોતાની દુકાનો ચલાવી રહ્યા છે અને માનવતા વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આવા ઉગ્રવાદ અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે.

પીડિત પરિવારો પ્રત્યે એકજુટતા દર્શાવવા માટે તેમણે એક મોટી જાહેરાત કરી છે. મુખ્ય ઇમામ તરીકે તેમણે જણાવ્યું કે, "ભારતની તમામ 5.5 લાખ મસ્જિદો વતી, આવતા શુક્રવારે (જુમ્મા) અમે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરીશું. અમે માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ માટે અલ્લાહને દુઆ કરીશું." તેમણે સમાજને સંદેશ આપ્યો કે માનવતા જ આપણો સૌથી મોટો અને શ્રેષ્ઠ ધર્મ છે.

આ હુમલા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં ભારત ઓસ્ટ્રેલિયાના લોકો સાથે ખભેખભા મિલાવીને ઉભું છે. સમગ્ર દેશ વતી તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. ભારત હંમેશા આતંકવાદના કોઈપણ સ્વરૂપનો વિરોધ કરતું આવ્યું છે અને આ ઘટનામાં પણ ભારતની સહાનુભૂતિ પીડિતો સાથે છે.

ઘટનાની વિગતો મુજબ, 14 ડિસેમ્બરના રોજ સિડનીમાં યહૂદી તહેવાર 'હનુક્કાહ'ની ઉજવણી ચાલી રહી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ બર્બરતાપૂર્ણ કૃત્યમાં 15 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળા-કોલેજમાં રજા જાહેર 
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Embed widget