શોધખોળ કરો

UP: તો શું પલટી શકે છે અતિક અહેમદની ગાડી? થશે 'ગેમ ઓવર' ? અખિલેશ ચિંતાતૂર

અતિકને આજે અમદાવાદની સાબરમતિ જેલમાંથી યુપીના પ્રયાગરાજ લઈ જવાશે

UP: ગુજરાતની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અને ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લાવવામાં આવી રહ્યો છે. આજે સવારે યુપી પોલીસ તેને લાવવા ગુજરાત પહોંચી છે. આ સ્થિતિમાં વાહન પલટી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે આ મુદ્દે સપા પ્રમુખ અખિલેશ યાદવને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમના મંત્રીઓને કહ્યું હશે કે ગાડી પલટી જશે. તેથી જ તેમના મંત્રીઓ આવા તમામ નિવેદનો આપી રહ્યા છે.

અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે, વાહન પલટી જવાનો આ રેકોર્ડ ક્યાંય નહીં જાય. હંમેશા એક રેકોર્ડ રહેશે, જ્યારે તમે ઈચ્છો ત્યારે તમને રેકોર્ડ મળશે. જાહેર છે કે, ગેંગસ્ટર અતીક અહેમદ હાલમાં સાબરમતી જેલમાં બંધ છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની પૂછપરછ થવાની છે. આથી તેને ઉત્તર પ્રદેશ લાઈ જવામાં આવી રહ્યો છે.

યુપી લાવવાની તૈયારી
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ આરોપી છે. અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ હાલમાં બરેલી જેલમાં કેદ છે. યુપી પોલીસ ગેંગસ્ટર અતીકને ગુજરાતની જેલમાંથી પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસ અતીકને રોડ માર્ગે પ્રયાગરાજ લાવશે. આમાં લગભગ 36 કલાક લાગી શકે છે. યુપી પોલીસ રવિવારે બપોરે 3 વાગ્યે અતીકને સાબરમતી જેલમાંથી બહાર કાઢશે. આ પહેલા આતિકનો મેડિકલ ટેસ્ટ પણ જેલમાં જ કરવામાં આવશે.

ગુજરાત પોલીસે અતીકના સેલમાં હાથ ધરી તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર અતીકને પ્રયાગરાજ લાવવા માટે શિવપુરીથી ઝાંસીનો માર્ગ અપનાવવામાં આવશે. જ્યારે આતિકના ભાઈ અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે. આ પહેલા શુક્રવારે રાત્રે 1700 જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓએ ગુજરાતની જેલોમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં સૌથી ખાસ સાબરમતી જેલ હતી, જેમાં અતિક અહેમદને રાખવામાં આવ્યો હતો. આ દરોડાનો હેતુ જેલોમાંથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલે છે કે કેમ તે જાણવાનો તેમજ જેલમાં કેદીઓને નિયમોનુસાર સુવિધાઓ યોગ્ય રીતે આપવામાં આવી રહી છે કે કેમ તે જોવાનો હતો. આ સઘન સર્ચ ઓપરેશનમાં સ્નિફર ડોગ્સને પણ કામે લગાડવામાં આવ્યા હતા.

અતીક ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી
ઉમેશ પાલ 25 જાન્યુઆરી, 2005ના રોજ થયેલા બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. ઉમેશ પાલના 28 ફેબ્રુઆરી 2006ના રોજ તેને જુબાની આપવાથી રોકવા માટે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉમેશ પાલે કોર્ટમાં પોતાનું નિવેદન બદલ્યું હતું. ઉમેશ પાલે ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં અતિક અહેમદ અશરફ અને દિનેશ પાસી વિરુદ્ધ એક વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં અપહરણ અને બળજબરીથી નિવેદનો લેવાના કેસમાં FIR નોંધાવી હતી.

આ કેસમાં ઉમેશ પાલની જુબાની સતત ચાલી રહી હતી અને 24 ફેબ્રુઆરી 2023ના રોજ જ્યારે ઉમેશ પાલ તેની જુબાની પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે 17 માર્ચ 2018ના રોજ સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે 28 માર્ચે સાંસદ-ધારાસભ્ય કોર્ટ બરેલી જેલમાં બંધ અતીક અહેમદ તેમજ તેના ભાઈ અશરફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસી અંગે ચુકાદો આપશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
Embed widget