![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP Lawyer Killed: કોર્ટમાં ઘુસી વકીલની ગોળી મારીને હત્યા, અફરાતફરીનો માહોલ
આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી.
![UP Lawyer Killed: કોર્ટમાં ઘુસી વકીલની ગોળી મારીને હત્યા, અફરાતફરીનો માહોલ Uttar Pradesh: Lawyer shot dead at UP district court complex Shahjahanpur UP Lawyer Killed: કોર્ટમાં ઘુસી વકીલની ગોળી મારીને હત્યા, અફરાતફરીનો માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/3d6686651699cd65a7fcb878fc4f3001_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Lawyer Killed in Shahjahanpur: યુપીના શાહજહાંપુર જિલ્લામાં એક મોટી ઘટના જોવા મળી છે. એક બદમાશે શાહજહાંપુરની કોર્ટમાં પ્રવેશ કર્યો અને વકીલની ગોળી મારીને હત્યા કરી. ફાયરિંગના અવાજ બાદ ત્યાં હાજર વકીલો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ બંદૂક ચલાવી હતી તે જ સ્થળ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી. ઘટના સમયે ઓફિસમાં કોઈ હાજર નહોતું. તે જ સમયે, દિવસના અજવાળામાં કોર્ટ પરિસરમાં હત્યા બાદ, વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સમગ્ર કોર્ટમાં અરાજકતાનું વાતાવરણ છે. નારાજ વકીલોએ આ ઘટનાને લઈને હંગામો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતક વકીલનો મૃતદેહ પોતાના કબજામાં લીધો છે.
મૃતક વકીલની ઓળખ જલાલાબાદના રહેવાસી ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે.
शाहजहांपुर में कचहरी के तीसरी मंजिल पर वकील भूपेंद्र प्रताप सिंह की गोली मारकर हत्या कर दी गयी है।
— UP Congress (@INCUttarPradesh) October 18, 2021
उत्तर प्रदेश में कानून व्यवस्था छुट्टी पर है। अपराधी बेखौफ होकर अपना काम कर रहे हैं।@myogiadityanath नींद से कब जागेंगे? pic.twitter.com/iF0c5bpatf
કોંગ્રેસનો પ્રહાર
આ ઘટના પછી વિપક્ષને સરકાર પર હુમલો કરવાની તક મળી છે. કોંગ્રેસે વકીલની હત્યાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. યુપી કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, શાહજહાંપુરમાં કોર્ટના ત્રીજા માળે વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા રજા પર છે. ગુનેગારો પોતાનું કામ નિર્ભયતાથી કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ક્યારે ઉઁઘમાંથી જાગશે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)