શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા, કહ્યું- સપાને જવાબ આપશે, ભલે ભાજપને આપવો પડે વોટ
રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.
![માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા, કહ્યું- સપાને જવાબ આપશે, ભલે ભાજપને આપવો પડે વોટ UttarPradesh BSP Suspends 7 Rebel MLAs Mayawati says Vote For BJP To Defeat SP Candidate In MLC Polls માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા, કહ્યું- સપાને જવાબ આપશે, ભલે ભાજપને આપવો પડે વોટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29220645/BSP-mayawati.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉ: રાજ્યસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે એમએલસી ચૂંટણીમાં બસપા તેમને જવાબ આપવા માટે તમામ તાકત લગાવી દેશે. માયાવતીએ કહ્યું કે ભાજપને મત આપવો પડે તો પણ આપશું.
સસ્પેન્ડ કરવામાં આવેલા સાત બળવાખોર ધારાસભ્યો
બીએસપીએ અસલમ રાઈની (ભિનગા-શ્રાવસ્તી), અસલમ અલી ચૌધરી (ઢોલના-હાપુડ), મુદતબા સિદ્દીરી (પ્રતાપપુર-ઈલાહાબાદ), હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ(સિઘૌલી-સીતાપુર), સુષમા પટેલ (મુંગરા બાદશાહપુર) અને વંદના સિંહ (સગડી-આઝમગઢ)ને સસ્પેન્ડ કર્યા છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું 'લોકસભા ચૂંટણીમાં એનડીએને સત્તામાં આવવાથી રોકવા માટે અમારી પાર્ટીએ સપા સરકારમાં મારી હત્યાના ષડયંત્રની ઘટનાને ભુલાવતા દેશમાં સંકીર્ણ તાકતોને રોકવા સપા સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. સપાના મુખિયા ગઠબંધન થયાના પ્રથમ દિવસથી જ એસસી મિશ્રાજીને કહી રહ્યા હતા કે હવે ગઠબંધન થઈ ગયું છે તો બહેનજીને 2 જૂનનો કેસ પરત લઈ લેવો જોઈએ, ચૂંટણી દરમિયાન કેસ પરત લેવો પડ્યો.'
માયાવતીએ કહ્યું, ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તેમનું વલણ અમારી પાર્ટીએ જોયું, તેના અમને લાગ્યું કે કેસ પરત લઈ ખૂબ મોટી ભુલ કરી અને તેમની સાથે ગઠબંધનનો અમારો નિર્ણય ખોટો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)