શોધખોળ કરો

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.

Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCIએ આ જાણકારી આપી છે. BCCI અનુસાર, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠના નીચેના ભાગે ઈજાના કારણે 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. આ બીજી ICC ટૂર્નામેન્ટ હશે જેમાં બુમરાહ ઈજાના કારણે રમી શકશે નહીં. અગાઉ, તે પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયામાં 2022 ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો, જેના કારણે તેણે આખરે સર્જરી કરાવવી પડી હતી.

જયસ્વાલ ટીમમાંથી બહાર 

ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં પ્રોવિઝનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીનો ભાગ છે. તે પ્રથમ મેચમાં રમ્યો હતો પરંતુ કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી તેને બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

ICC એ તમામ આઠ ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના અંતિમ 15 ખેલાડીઓની યાદી સબમિટ કરવાની અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી નક્કી કરી હતી. આ પછી, ટીમોએ કોઈપણ ફેરફારો માટે ટૂર્નામેન્ટની તકનીકી સમિતિની મંજૂરી લેવી પડશે. BCCIએ જાન્યુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે સમયે હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે બુમરાહના બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી નાગપુરમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રાણાએ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની અપડેટ કરાયેલી ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકિપર), ઋષભ પંત , હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા,મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિંદ્ર જાડેજા. 

નોન ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યૂટ- યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે  

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
Advertisement

વિડિઓઝ

India-Pakistan match Row:
India-Pakistan match Row: ભારત-પાકિસ્તાન મેચને લઈ ઓવૈસીના ભાજપ પર પ્રહાર
Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
Revenue Talati Exam: આજે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખથી વધુ ઉમેદવારો
Bharuch Fire Incident: ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCની કંપનીમાં ભીષણ આગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા,  2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો  આપશે પરીક્ષા
Gujarat News: રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા, 2384 જગ્યાઓ પર ભરતી માટે 3.99 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
IND vs PAK: કેટલા વાગ્યે શરુ થશે ભારત-પાકિસ્તાનની મેચ, કઈ કઈ એપ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ; જાણો વિગતો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Embed widget