![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vande Bharat Train: હવે આ રાજ્યને મળશે વંદે ભારત એક્સપ્રેસ, વડાપ્રધાન મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી
ભારતીય રેલવે દેશભરમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે
![Vande Bharat Train: હવે આ રાજ્યને મળશે વંદે ભારત એક્સપ્રેસ, વડાપ્રધાન મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી Vande Bharat Train: PM Modi to flag off Rajasthan’s first Vande Bharat train on April 12 Vande Bharat Train: હવે આ રાજ્યને મળશે વંદે ભારત એક્સપ્રેસ, વડાપ્રધાન મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/89f3f28224c7b925121f24485d687463168118869101974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય રેલવે દેશભરમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. હવે રાજસ્થાનનો નંબર છે. આવતીકાલે એટલે કે 12 એપ્રિલે રાજસ્થાનને પહેલી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 એપ્રિલ, 2023 ના રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ વચ્ચે દોડશે.
તેની નિયમિત સેવા 13 એપ્રિલ, 2023 થી શરૂ થશે અને અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે જયપુર, અલવર અને ગુડગાંવમાં સ્ટોપ સાથે ચાલશે. આ ટ્રેન દિલ્હી કેન્ટથી અજમેર વચ્ચેનું અંતર 5 કલાક 15 મિનિટમાં કાપશે. આ ટ્રેન એ જ રૂટ પર દોડતી શતાબ્દી એક્સપ્રેસ કરતાં 60 મિનિટ વધુ ઝડપી હશે. શતાબ્દી એક્સપ્રેસ દિલ્હી કેન્ટથી અજમેર સુધી 6 કલાક 15 મિનિટ લે છે. આ રીતે નવી વંદે ભારત એક્સપ્રેસ એ જ રૂટ પર દોડતી હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં 60 મિનિટ ઝડપી હશે.
વિશ્વની પ્રથમ સેમી હાઇ સ્પીડ પેસેન્જર ટ્રેન
અજમેર-દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ હાઇ રાઇઝ ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) સેક્ટર પર દોડનારી વિશ્વની પ્રથમ સેમી હાઇ સ્પીડ પેસેન્જર ટ્રેન હશે. આ ટ્રેન પુષ્કર, અજમેર શરીફ દરગાહ સહિત રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી સુધારશે. કનેક્ટિવિટી વધારવાથી પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસને પણ વેગ મળશે.
અત્યાર સુધીમાં 11 વંદે ભારત ટ્રેન શરૂ કરાઇ
અત્યાર સુધીમાં દેશમાં વિવિધ આંતરરાજ્ય માર્ગો પર 11 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી વારાણસીના રૂટ પર શરૂ કરાઇ હતી. આ પછી રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, ગાંધીનગર-મુંબઈ, નવી દિલ્હી-અંબ અંદૌરા, ચેન્નઈ-મૈસુર, નાગપુર-બિલાસપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ, મુંબઈ-સોલાપુર, મુંબઈ-સાઈનગર શિરડી અને દિલ્હી-ભોપાલ રૂટ પર શરૂ કરાઇ હતી.
Cow Urine: ગાયના મૂત્રમાં ખતરનાક બેક્ટેરિયા હોય છે! માણસો માટે સારું નથી... IVRI સંશોધનમાં દાવો
Cow Urine: ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જેનું સેવન કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.
આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. સંસ્થાના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં એસ્ચેરીચિયા કોલી હોય છે જે પેટમાં ચેપ લાવી શકે છે, તેથી વ્યક્તિએ આ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાને ટાળવા જોઈએ.
ભોજરાજ સિંહ અને 3 પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે સંશોધન ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇજ્જતનગરમાં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)માં કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત ગાયના દૂધમાં ઓછામાં ઓછા 14 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેમાં Escherichia coliની હાજરી પણ જોવા મળે છે, જે પેટમાં ઈન્ફેક્શનનું કારણ પણ બને છે. આ રિસર્ચમાં જે બાબતો સામે આવી છે તે ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં સામે આવી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)