![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Waris Punjab De: અમૃતપાલ સિંહના કારણે અમૃતસરમાં થયા ત્રણ વિસ્ફોટ, IED બનાવનારા માસ્ટરમાઇન્ડે કર્યો મોટો ખુલાસો
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ વિસ્તારમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ કરનારા આરોપીની પંજાબ પોલીસે ગુરુવારે ધરપકડ કરી છે.
![Waris Punjab De: અમૃતપાલ સિંહના કારણે અમૃતસરમાં થયા ત્રણ વિસ્ફોટ, IED બનાવનારા માસ્ટરમાઇન્ડે કર્યો મોટો ખુલાસો Waris Punjab De: Amritsar blasts: Police arrest five accused for three explosions near Golden Temple Waris Punjab De: અમૃતપાલ સિંહના કારણે અમૃતસરમાં થયા ત્રણ વિસ્ફોટ, IED બનાવનારા માસ્ટરમાઇન્ડે કર્યો મોટો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/79362e89ce74db329d9801fe5e1fa446168386405024674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Punjab News: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ વિસ્તારમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ કરનારા આરોપીની પંજાબ પોલીસે ગુરુવારે ધરપકડ કરી છે. આ પાંચ આરોપીઓમાંથી મુખ્ય આરોપી આઝાદવીર અંગે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઝાદવીર વારિસ પંજાબ ડે ચીફ અમૃતપાલ સિંહ વિરુદ્ધ NSAની કાર્યવાહીથી નારાજ હતો. તેથી જ તેણે બોમ્બ વિસ્ફોટની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
આઝાદવીર ખાલિસ્તાની સમર્થક છે
આ ત્રણેય વિસ્ફોટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માસ્ટરમાઇન્ડ આઝાદવીર સિંહ અમૃતસરના વડાલા કલાનનો રહેવાસી છે અને ખાલિસ્તાન સમર્થક છે. આઝાદવીર વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધાયેલો છે. જૂન 2021માં છેહરતાની ભલ્લા કોલોનીના રહેવાસી દીપક શર્માએ આઝાદવીર વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં શ્રી રામ બાલાજી ધામ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અશનીલ મહારાજ આઝાદવીર સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને મળ્યા હતા. આ પછી તેમને પાકિસ્તાનમાંથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. ત્યારબાદ મહામંડલેશ્વરે પોલીસને જણાવ્યું હતું કે આઝાદવીરનો પાકિસ્તાનમાં બેઠેલા લોકો સાથે સંપર્ક હતો. પરંતુ પોલીસે તેને હળવાશથી લીધું અને આઝાદવીર સામે કોઈ મોટી કાર્યવાહી કરી ન હતી.
આઝાદવીરે બોમ્બ સાથે ફોટો પડાવ્યો હતો
હિન્દી ન્યૂઝપેપર અમર ઉજાલાના કહેવા અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આઝાદવીરે વિસ્ફોટો પહેલા સારાગઢી પાર્કિંગની છત પર હાથમાં બોમ્બ સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. જેનો ફોટો આઝાદવીરના મોબાઈલમાંથી મળી આવ્યો છે. આઝાદવીર અને તેના સહયોગીઓ વતી હેરિટેજ સ્ટ્રીટને બોમ્બ વિસ્ફોટ માટે જાણીજોઈને પસંદ કરવામાં આવી હતી. જેથી તે વિસ્તારમાં આતંક ફેલાવી શકે. આઝાદવીર સિંહ જરનૈલ સિંહ ભિંડરાવાલાને પોતાનો આદર્શ માને છે. ડ્રગ્સની લત લાગી ગયા બાદ તે ગુનાની દુનિયામાં સામેલ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)