Wayanad Landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે 60નાં મોત, રેસ્ક્યૂ ઓપરેશનમાં ઇન્ડિયન નેવી પણ જોડાઇ
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે. વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે. સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. એનડીઆરએફની સાથે સેનાને પણ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
Wayanad landslides: 44 dead, 250 rescued so far, says Kerala Minister MB Rajesh
— ANI Digital (@ani_digital) July 30, 2024
Read @ANI Story | https://t.co/BBwLzwYOcO#WayanadLandslides #Kerala #MBRajesh pic.twitter.com/3N1RX3VzB7
250થી વધુ લોકોને બચાવાયા
કેરળના મહેસૂલ મંત્રી કે. રાજનના કાર્યાલયે કહ્યું હતું કે 'એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બાથરી સેન્ટ મેરી એસકેએમજે સ્કૂલ, કાલપેટ્ટામાં રાહત શિબિર બનાવવામાં આવી છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ હાજર છે. ભોજન અને કપડાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Wayanad landslide | Death toll rises to 54: Kerala Minister AK Saseendran
— ANI (@ANI) July 30, 2024
(File photo) pic.twitter.com/uYWEn4RZI8
વાયનાડમાં ભૂસ્ખલન પર કેરળના મંત્રી એમ.બી. રાજેશે કહ્યું હતું કે 'અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. વિવિધ એજન્સીઓ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે સેના પાસેથી મદદ માંગી છે જે જલ્દીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. મુખ્યમંત્રી આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. તેમણે મંત્રીઓની એક ટીમને વાયનાડ મોકલી છે. 250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. https://t.co/1RSsknTtvo
— PMO India (@PMOIndia) July 30, 2024