કામની વાત: ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારો સામાન ભૂલાય જાય તો શું કરશો, જાણો કઈ રીતે પરત મળે
તમારે જે સ્ટેશન પર તમારો સામાન મુક્યો છે ત્યાં હાજર અધિકારીઓને જાણ કરવી પડશે. આ ઉપરાંત, તમારે રેલેવે પોલીસ ફોર્સને પણ આ અંગે જાણ કરવી પડશે.

Indian Railway: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર અનેક ઘટનાઓ બને છે. જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. ટ્રેનમાં સામાન ભૂલી જવો એ સામાન્ય બાબત છે. ઘણી વખત ઉતાવળમાં મુસાફરી કરતી વખતે ટ્રેનમાં બેગ અથવા કોઈ મહત્વપૂર્ણ વસ્તુ રહી જાય છે. જ્યારે આપણને નીચે ઉતર્યા પછી યાદ આવે છે. ત્યારે સૌથી મોટો ડર એ હોય છે કે આપણને તે સામાન પરત મળશે કે નહીં. ચાલો તમને જણાવીએ કે આવી પરિસ્થિતિમાં તમે તમારો સામાન કેવી રીતે પાછો મેળવી શકો છો.
રેલ મદદ એપ દ્વારા ફરિયાદ નોંધાવો
આવા કિસ્સાઓમાં લોકો ઘણીવાર ગભરાઈ જાય છે. કારણ કે તેમને ખબર નથી હોતી કે આવી પરિસ્થિતિમાં શું કરવું. જો યોગ્ય જગ્યાએ તાત્કાલિક માહિતી આપવામાં આવે તો બેગ અથવા કોઈપણ વસ્તુ સુરક્ષિત મળી જવાની શક્યતા વધુ રહે છે. જો તમને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે યાદ આવે કે તમારો કોઈ સામાન ટ્રેનમાં રહી ગયો છે. તો તમારે તરત જ રેલ મદદ એપ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવી જોઈએ. તમે રેલ મદદ વેબસાઇટની મુલાકાત લઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
RPFમાં તમારી FIR નોંધાવવી પડશે
આ ઉપરાંત તમારે જે સ્ટેશન પર તમારો સામાન મુક્યો છે ત્યાં હાજર અધિકારીઓને જાણ કરવી પડશે. આ ઉપરાંત, તમારે રેલેવે પોલીસ ફોર્સને પણ આ અંગે જાણ કરવી પડશે. જો ત્યાં સામાન તાત્કાલિક ન મળે તો તમારે RPFમાં તમારી FIR નોંધાવવી પડશે. આ પછી જો તમારો સામાન મળી આવે છે તો તેને પરત તે જ સ્ટેશન પર મોકલવામાં આવે છે જ્યાં તેના ખોવાઈ જવાની ફરિયાદ નોંધાઈ હતી.
રેલ્વે પાસે ખોવાયેલ અને મળેલ સેલ પણ છે. મળેલી દરેક વસ્તુ તેમાં દાખલ કરવામાં આવે છે અને સુરક્ષિત રાખવામાં આવે છે. તમે ત્યાં જઈ શકો છો અથવા ફોન કરીને પૂછી શકો છો કે તમારી બેગ કે વસ્તુ ત્યાં જમા છે કે નહીં. તમારો સામાન પાછો મેળવવા માટે તમારે તમારું ઓળખપત્ર પણ બતાવવું પડશે.
દરરોજ કરોડો લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે. મુસાફરી દરમિયાન સામાન ભૂલાઈ જવો એક સામાન્ય બાબત છે.





















