શોધખોળ કરો

RJD થી શરૂઆત, JDU માં મંત્રી અને હવે સીધા મુખ્યમંત્રી! જાણો બિહારના નવા CM સમ્રાટ ચૌધરીની રોમાંચક રાજકીય સફર

Samrat Choudhary Bihar CM: લાલુ યાદવના નજીકના મનાતા શકુની ચૌધરીના પુત્ર સમ્રાટ 1999 માં રાબડી દેવી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે; 2018 માં ભાજપમાં જોડાયા બાદ સતત કદ વધતું ગયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે, NDA એ તેમને નેતા તરીકે ચૂંટ્યા.
  • તેમણે RJD થી રાજકારણ શરૂ કરી, કૃષિ મંત્રી પદે પણ રહ્યા.
  • JDU માં જોડાયા બાદ, તેઓ ભાજપમાં આવ્યા અને ડેપ્યુટી CM બન્યા.
  • શપથગ્રહણ બાદ તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે નવી ઇનિંગ શરૂ કરશે.

Samrat Choudhary Bihar CM: નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના રાજકારણમાં નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મંગળવારે મળેલી NDA ની વિધાનસભા બેઠકમાં સમ્રાટ ચૌધરીને ઔપચારિક રીતે નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ એ અટકળોનો અંત આવી ગયો છે કે બિહારનો નવો તાજ કોણ પહેરશે; હવે એ સ્પષ્ટ છે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. તેમની આ પસંદગી વખતે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે પટનામાં ખાસ હાજર રહ્યા હતા. સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD થી શરૂઆત કરનાર સમ્રાટ, આજે ભાજપના સૌથી મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

કોણ છે સમ્રાટ ચૌધરી અને કેવો રહ્યો છે તેમનો રાજકીય ગ્રાફ?

મુંગેર જિલ્લાના વતની 57 વર્ષીય સમ્રાટ ચૌધરી કોઈ નવો ચહેરો નથી, તેમનો રાજકીય વારસો ઘણો જૂનો છે. તેમના પિતા શકુની ચૌધરી 'સમતા પાર્ટી'ના સ્થાપકોમાંના એક હતા અને એક સમયે લાલુ પ્રસાદ યાદવની અત્યંત નજીક મનાતા હતા. શકુની ચૌધરી પોતે પણ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે.

RJD થી થઈ શરૂઆત: સમ્રાટે 1990 માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો. 1995 માં એક રાજકીય કેસમાં તેમને જેલ પણ જવું પડ્યું હતું. પરંતુ તેમની રાજકીય કુનેહ એટલી જબરદસ્ત હતી કે માત્ર 4 વર્ષ બાદ, 1999 માં રાબડી દેવીની સરકારમાં તેઓ સીધા કૃષિ મંત્રી બની ગયા હતા. 2005 માં જ્યારે બિહારમાંથી RJD ની સરકાર ગઈ, ત્યારે પણ તેઓ લાંબા સમય સુધી લાલુની પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા રહ્યા હતા.

ધારાસભ્ય તરીકેની સફર: વર્ષ 2000 અને 2010 માં તેઓ પરબટ્ટા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપમાં આવ્યા બાદ, ગયા વર્ષે (2025 માં) તેમણે તારાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી.

લાલુનો સાથ છોડી JDU અને ત્યાંથી ભાજપમાં એન્ટ્રી

સમ્રાટ ચૌધરીની કારકિર્દીનો મોટો વળાંક 2014 માં આવ્યો, જ્યારે તેમણે RJD છોડી દીધી અને નીતિશ કુમારની પાર્ટી JDU માં જોડાઈ ગયા. જીતન રામ માંઝી જ્યારે મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સરકારમાં સમ્રાટ શહેરી વિકાસ અને ગૃહ વિભાગ જેવા મહત્વના મંત્રી પદો પર રહ્યા. જોકે, JDU માં પણ તેઓ લાંબો સમય ટક્યા નહીં અને આખરે 2018 માં તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો.

ભાજપમાં આવ્યા પછી તેમનું કદ સતત વધતું જ ગયું. NDA સરકારમાં તેઓ પંચાયતી રાજ મંત્રી રહ્યા. આ ઉપરાંત, તેમણે બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે અને બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સફળ જવાબદારીઓ નિભાવી છે. નીતિશ કુમારની અગાઉની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) હતા અને ગૃહ વિભાગ સંભાળતા હતા. હવે આવતીકાલે (બુધવારે) લોકભવન ખાતે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પોતાની રાજકીય કારકિર્દીની સૌથી મોટી ઈનિંગની શરૂઆત કરશે.

Frequently Asked Questions

બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે?

નીતિશ કુમારના રાજીનામા બાદ સમ્રાટ ચૌધરીને NDA ની વિધાનસભા બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનશે.

સમ્રાટ ચૌધરીનો રાજકીય પ્રવાસ ક્યાંથી શરૂ થયો?

સમ્રાટ ચૌધરીએ 1990 માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમની શરૂઆત લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD થી થઈ હતી.

સમ્રાટ ચૌધરીએ કઈ કઈ પાર્ટીઓમાં કામ કર્યું છે?

સમ્રાટ ચૌધરીએ RJD, JDU અને હવે ભાજપમાં કામ કર્યું છે. તેઓ 2014 માં RJD છોડી JDU માં અને 2018 માં ભાજપમાં જોડાયા હતા.

સમ્રાટ ચૌધરીએ ધારાસભ્ય તરીકે ક્યાંથી ચૂંટણી જીતી છે?

તેઓ વર્ષ 2000 અને 2010 માં પરબટ્ટા બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ગયા વર્ષે તેમણે તારાપુર બેઠક પરથી પણ જીત મેળવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Embed widget