શોધખોળ કરો

Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

Monkeypox Alert: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 14 ઓગસ્ટે એમપોક્સ રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. આ વર્ષે 15,000થી વધુ કેસો નોંધાયા છે.

WHO On Monkeypox: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે આજકાલ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સ અથવા એમપોક્સ માતાથી ગર્ભમાંના બાળકને પણ થઈ શકે છે. સંગઠને રવિવારે (18 ઓગસ્ટ) એમપોક્સ સંબંધિત કેટલીક માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે શેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત એમપોક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

WHOએ જણાવ્યું હતું કે એમપોક્સ સામાન્ય રીતે સ્પર્શ, જાતીય સંબંધો અને નજીકના સંપર્કથી થાય છે. આ ઉપરાંત, એમપોક્સ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા સ્પર્શ કરાયેલી કોઈ વસ્તુ અથવા સપાટીને સ્પર્શ કરવાથી પણ તંદુરસ્ત વ્યક્તિને અસર કરી શકે છે. માહિતીમાં જણાવાયું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન ચેપ ભ્રૂણ સુધી પણ ફેલાઈ શકે છે. જન્મ સમયે અથવા જન્મ પછી ત્વચાથી ત્વચાના સંપર્કમાં આવવાથી અને શિશુ અથવા બાળકોના માતા પિતા સાથેના નજીકના સંપર્કથી પણ તે ફેલાઈ શકે છે.

'સ્વસ્થ વ્યક્તિમાં પણ ચેપ મળ્યો'

WHOનું કહેવું છે કે જે વ્યક્તિમાં વાયરસ છે, પરંતુ રોગના કોઈ લક્ષણો નથી, એટલે કે જે સંપૂર્ણપણે સ્વસ્થ દેખાય છે, તેનાથી ચેપ ફેલાવાના કેટલાક અહેવાલો મળ્યા છે, પરંતુ આ વિશે હજુ વધુ અભ્યાસની જરૂર છે. ચેપગ્રસ્ત વ્યક્તિઓના શુક્રાણુઓમાં પણ જીવંત એમપોક્સ વાયરસ મળી આવ્યા છે, પરંતુ હજુ એ જાણવામાં આવ્યું નથી કે શુક્રાણુ, યોનિ પ્રવાહી અથવા માતાના દૂધથી ચેપ ફેલાવાનું જોખમ કેટલું છે.

PM મોદી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એમપોક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ દેશમાં એમપોક્સની તૈયારીઓની સ્થિતિ અને સંબંધિત જાહેર આરોગ્ય પગલાંઓની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી દેશમાં એમપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. વર્તમાન મૂલ્યાંકન અનુસાર, સતત પ્રસારણ સાથે મોટા પ્રકોપનું જોખમ ઓછું છે.

મંકીપોક્સથી 500થી વધુ લોકોના મોત થયા છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 14 ઓગસ્ટે એમપોક્સ રોગચાળાને આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. વિશ્વભરમાં આ વર્ષે એમપોક્સના 15,000થી વધુ કેસો નોંધાયા છે અને 500થી વધુ લોકોના મૃત્યુ થયા છે. WHOનું કહેવું છે કે એમપોક્સમાંથી સાજા થવામાં બેથી ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે. જ્યાં સુધી ફોલ્લીઓ સંપૂર્ણપણે મટી ન જાય અને ફોલ્લીવાળી ત્વચાની જગ્યાએ નવી ત્વચા ન આવે ત્યાં સુધી વ્યક્તિને ચેપમુક્ત ન માની શકાય. આવી વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ માંસ ખાનારા રોગનો ફેલાયેલો આતંક, 48 કલાકમાં દર્દીનું મૃત્યુ થાય છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની PM E-DRIVE યોજનાને આપી મંજૂરી
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી
Embed widget