શોધખોળ કરો

1971 યુદ્ધમાં જીત્યા, પણ PoK માંગવાનું ભૂલી ગયા... અમિત શાહ લોકસભામાં કૉંગ્રેસ પર વરસ્યા 

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને ઇતિહાસ યાદ કરાવ્યો. અમિત શાહે કહ્યું, અમને 1971ના યુદ્ધમાં ભારતની જીત પર ગર્વ છે.

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને ઇતિહાસ યાદ કરાવ્યો. અમિત શાહે કહ્યું, અમને 1971ના યુદ્ધમાં ભારતની જીત પર ગર્વ છે, આપણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. 93 હજાર પાકિસ્તાની સૈનિકો યુદ્ધ કેદી હતા, 15 હજાર ચોરસ કિલોમીટર આપણી પાસે હતું, પરંતુ આપણે POK લેવાનું ભૂલી ગયા. 1962ના યુદ્ધ પર પણ અમિત શાહે કોંગ્રેસને ઘેરી હતી.  ગૃહમંત્રીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે આપણે 1971નું યુદ્ધ જીત્યું, પરંતુ POK માંગવાનું ભૂલી ગયા.

ગૃહમંત્રીએ કહ્યું, "આ ત્રણ આતંકવાદીઓ એવા લોકોમાં હતા જેમણે પહેલગામની બૈસરન ખીણમાં આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી અને ગઈકાલે ત્રણેય માર્યા ગયા હતા. હું ગૃહ અને સમગ્ર દેશ વતી સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના તમામ સૈનિકોને અભિનંદન આપું છું." ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલે બપોરે 1 વાગ્યે પહેલગામની બૈસરન ખીણમાં હુમલો થયો હતો અને તેઓ સાંજે 5.30 વાગ્યે શ્રીનગર પહોંચ્યા હતા અને 23 એપ્રિલે સુરક્ષા બેઠક યોજાઈ હતી અને ક્રૂર હત્યારાઓ દેશ છોડીને ભાગી ન શકે તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ, પુષ્ટિ થઈ છે કે આ ત્રણ આતંકવાદીઓએ 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું, "આજે મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના આકાઓનો સફાયો કરવાનું કામ કર્યું.  સેના અને CRPF એ પણ તે આતંકવાદીઓને ખતમ કરી દીધા હતા." તેમણે કટાક્ષમાં કહ્યું, "મને અપેક્ષા હતી કે તેઓ (વિપક્ષ) ખુશ થશે જ્યારે પહલગામ હુમલાના આતંકવાદીઓના મોતના સમાચાર સાંભળવા મળશે, પરંતુ એવું લાગે છે કે તેઓ (વિપક્ષ) તેનાથી ખુશ નથી. આ કેવા પ્રકારની રાજનીતિ છે?" 

અમિત શાહે ભારપૂર્વક કહ્યું, "આ આપણા દેશની સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસ, ત્રણેય મળીને એક મોટી સફળતા છે. આપણને આનો ગર્વ હોવો જોઈએ." કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમના નિવેદનને ટાંકીને તેમણે આરોપ લગાવ્યો કે ચિદમ્બરમે પાકિસ્તાનને ક્લીનચીટ આપી છે.  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી પૂછી રહ્યા છે કે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા તેના પુરાવા શું છે ? તેઓ કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ? તેઓ કોના માટે બોલી રહ્યા છે ? અમે કહેવા માંગીએ છીએ કે ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા. અમારી પાસે તેના નક્કર પુરાવા છે. આ લોકો પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર, શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Embed widget