શોધખોળ કરો

ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રીથી ફફડાટ, ક્યા મોટા શહેરમાં એક સાથે કોરોનાના 11 કેસ નોંધાતાં હાહાકાર ?

‘ઓમિક્રોન’ વાયરસના ખતરાને પહોંચી વળવા અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સુરતમાં પણ  નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે.

સુરતઃ ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને ‘ઓમિક્રોન’ વાયરસના કારણે કોરોનાને પહેલો કેસ નોંધાયો છે. ‘ઓમિક્રોન’ વાયરસનો કેસ આવતાં રાજ્યમાં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરમાં ‘ઓમિક્રોન’ વાયરસનો એક  કેસ પોઝિટિવ આવતાં સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્રને સાબદુ કરી દેવાયું છે. જામનગરમાં કોરોનાના એક સાથે 11 કેસ આવ્યા તેના કારણે પણ ફફડાટ છે.

‘ઓમિક્રોન’ વાયરસના ખતરાને પહોંચી વળવા અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સુરતમાં પણ  નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં નવી સીવીલ કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં હાલ 2200 બેડની વ્યવસ્થા છે તેને  વધારી 3000 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. વિશ્વના 29 દેશોમાં ‘ઓમિક્રોન’ વાયરસે આતંક મચાવ્યો છે.

અમદાવાદ લગ્નમાં આવેલાં 11 લોકોને કોરોના થઈ જતાં ખળભળાટ-
અમદાવાદઃ સમગ્ર દેશમાં દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાયો છે, આ વખતે કોરોનાના નવા અને ખતરનાક વેરિએન્ટ ઓમિક્રૉનને લઇને સરકાર ચિંતામાં છે, કેમ કે આ નવો વેરિએન્ટ ઓમિક્રૉન બહુ જ ખતરનાક છે અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા યાત્રીઓ આનાથી સંક્રમિત નીકળી રહ્યાં  છે. હવે ઓમિક્રૉનનો ખતરો ગુજરાતમાં પણ તોળાઇ રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં શનિવારે એન્ટ્રી થઇ, રાજ્યમાં શનિવારે એક જ દિવસમાં નવા 44 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં એકસાથે 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 

ખાસ વાત છે કે, ભાવનગરના આ કોરોના સંક્રમિત લોકો તા. 25થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સિંધુભવન રોડ પરની મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગે આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ અમદાવાદમાં પણ ઘાતક વાયરસને લઇને ચિંતામાં વધારો થયો છે. શનિવારે ભાવનગર શહેરના જે 11 વ્યક્તિઓ પોઝિટિવ મળ્યાં છે. તેઓની ભાવનગર મ્યુનિ. આરોગ્ય તંત્રે ટ્રાવેલ હિસ્ટ્રી મેળવતાં આ પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. આથી આ 4 દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે.  

આ અંગે રાજ્ય સરકારે આંકડા પણ જાહેર કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના 44 નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 12 કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 11, સુરત અને વડોદરામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 તેમજ કચ્છ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 36 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget