Odisha Train Accident News Live:PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે જશે, ઘાયલોને પણ મળશે, અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત
Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

Background
ઓડિશાના બાલાસોરમાં ઘટનાસ્થળે પહોંચી મમતા બેનર્જી
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, "અમે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છીએ. અમે ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ મોકલી છે. જેને જીવ ગુમાવ્યો તે પાછો નહીં આવે. હવે માત્ર ધાયલના જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
Odisha Train Accident: બાલાસોરમાં બચાવ કામગીરી પુરી થઈ
ઓડિશાના બાલાસોરમાં બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું કે, પીએમ પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે. આ અકસ્માતમાં બે એક્સપ્રેસ અને એક માલગાડીનો સમાવેશ થાય છે. કટક, બાલાસોર અને સ્થળ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી 39 ટ્રેનો શરૂ કરવામાં આવી છે, જવાબદારો સામે પગલાં લેવાશે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી 288 લોકોના મોતની પુષ્ટી થઇ છે.
કોરોમંડલ ટ્રેન અકસ્માતઃ PM મોદી આજે ઓડિશાની મુલાકાત લેશે
PM નરેન્દ્ર મોદી આજે ઓડિશા જશે. પહેલા તે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળવા પણ જશે.
ઓડિશા ટ્રેન અકસ્માત: NDRFની 9 ટીમો સ્થળ પર તૈનાત
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એન્ડ સિવિલ ડિફેન્સ (NDRF)એ જણાવ્યું કે, NDRFની 9 ટીમો સ્થળ પર તૈનાત છે. અમારી પ્રથમ ટીમ ઘટનાના પોણા કલાકમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. 300 થી વધુ લોકો બચાવ કાર્યમાં લાગેલા છે.
Odisha Train Accident: : તમિલનાડુના ત્રણ મંત્રીઓ ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા
તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન, શિવ શંકર અને અંબિલ મહેશ ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા. તે ઓડિશાના બાલાસોર જઈ રહ્યો છે જ્યાં ટ્રેન અકસ્માતમાં 238 લોકોના મોત થયા છે અને લગભગ 650 લોકો ઘાયલ થયા છે. તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું, 'અમે ત્યાં વર્તમાન સ્થિતિ વિશે પૂછપરછ કરવા જઈ રહ્યા છીએ. તમિલનાડુના મુખ્યમંત્રીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તમિલનાડુમાં ટ્રેન દુર્ઘટનાથી પ્રભાવિત તમિલ લોકો માટે હોસ્પિટલની સુવિધા પણ તૈયાર છે.

