શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

Manipur Violence:પોલીસે જણાવ્યું કે, દેખાવકારોએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ સહિત છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમની મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળોએ ઈમ્ફાલના વિવિધ ભાગોમાં વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો

Manipur Violence: શુક્રવારે રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીક જીરીબામ જિલ્લામાંથી છ ગુમ થયેલા લોકોમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના મંત્રીઓ જેમના નિવાસસ્થાને વિરોધીઓએ હુમલો કર્યો હતો તેમાં સપમ રંજન, એલ સુસિન્દ્રો સિંહ અને વાય ખેમચંદનો સમાવેશ થાય છે.

મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ નદીની નજીકથી મળી આવ્યાના એક દિવસ પછી, શનિવારે વિરોધીઓએ ત્રણ રાજ્ય મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, જેના કારણે સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાગુ કર્યો છે. જીરીબામમાં છ બંધકોના મૃત્યુનો વિરોધ કરી રહેલા ટોળાએ શનિવારે સાંજે મણિપુરના મુખ્યમંત્રી  એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે હિંસાગ્રસ્ત રાજ્યમાં સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે બીજી મોટી અથડામણ સર્જાઇ છે.

પોલીસે જણાવ્યું કે, દેખાવકારોએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ સહિત છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમની મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળોએ ઈમ્ફાલના વિવિધ ભાગોમાં વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે,  બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે, ઇમ્ફાલ ખીણના પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ, ઈન્ટરનેટ બંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને વ્યવસ્થા જાળવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા અને  તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મંત્રાલયે લોકોને શાંતિ જાળવવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોને સહકાર આપવા અપીલ કરી છે. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે.

લેમ્ફેલ સનાકેથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિ ડેવિડે પત્રકારોને જણાવ્યું હતું કે, "સપમે અમને ખાતરી આપી હતી કે, કેબિનેટની બેઠકમાં ત્રણ લોકોની હત્યા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જાહેર ભાવનાઓને માન આપવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે." "

પોલીસે જણાવ્યું કે, વિરોધીઓએ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ વિસ્તારમાં ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના નિવાસસ્થાને પણ હુમલો કર્યો હતો. મોડી સાંજે, ટોળાએ તેમના નિવાસસ્થાન પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના પગલે સુરક્ષા દળોએ દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Embed widget