શોધખોળ કરો

કોંગ્રેસના કયા ધારાસભ્યએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની આપી ચીમકી, જાણો વિગત

ધોરાજી ઉપલેટાના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની ચીમકી ઉચ્ચારી હતી. લલિત વસોયાએ કહ્યું, કોરોનાની સારવારમાં તંત્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વચ્ચે ભેદભાવ રાખે છે. અનેક રજુઆત પછી પણ સરકારી તંત્ર કે સરકાર દ્વારા કોઇ હકારાત્મક જવાબ કે પશ્રનનો ઉકેલ આવ્યો નથી.

રાજકોટ: રાજ્યમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. ધોરાજી ઉપલેટાના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની ચીમકી ઉચ્ચારી હતી.

લલિત વસોયાએ કહ્યું, કોરોનાની સારવારમાં તંત્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વચ્ચે ભેદભાવ રાખે છે. અનેક રજુઆત પછી પણ સરકારી તંત્ર કે સરકાર દ્વારા કોઇ હકારાત્મક જવાબ કે પશ્રનનો ઉકેલ આવ્યો નથી. ધોરાજી ઉપલેટા અને જામકંડોણા વિસ્તારની સરકારી અને સરકારે માન્યતા આપેલ કોવિડ હોસ્પિટલના 900 રેમડેસિવિર ઇંજેક્શન સામે સરકારે ફક્ત 33 ઇંજેક્શન ફાળવ્યા છે.  

તેમણે એમ પણ કહ્યું ડોક્ટરો પૂરા ખંતથી પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક ઉણું ઉતર્યું છે. સરકારે હવે આ વિષયને અત્યંત ગંભીરતાથી લેવો પડશે અન્યથા આવી પરિસ્થિતિમાં પણ ધોરાજી ઉપલેટાની જનતા જનાર્દનને સાથે રાખી આંદોલન શરૂ કરવું પડશે.

ધોરાજી પંથકમાં કોરોના પોઝિટિવ સંક્રમણ વધ્યું છે અને દરરોજ 200થી વધારે કેસ, સ્મશાનોમાં અંતિમ વિધીનો આંકડો વધ્યો છે જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા ઈન્જેકશન ,ઓક્સિજન સારવાર માટે ભટકતાં સામાન્ય લોકોની વેદના હળવી કરવા નક્કર વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget