શોધખોળ કરો

ગોંડલ વિધાનસભા બેઠકને લઈને જીલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન, ગણેશ જાડેજા જ.....

પાટીદાર અને ક્ષત્રિય સમાજના સમાધાન વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન ચર્ચામાં, બહારના લોકોએ લાળ ટપકાવવી નહીં: ઢોલરિયા.

Ganesh Jadeja: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ વિધાનસભા બેઠકને લઈને એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે તેવા સમયે અલ્પેશ ઢોલરિયાએ જાહેરમાં કહ્યું છે કે આગામી સમયમાં ગણેશ જાડેજા જ ગોંડલના ધારાસભ્ય બનશે અને તેઓ ખંભેખંભો મિલાવીને તેમને ધારાસભ્ય બનાવશે. ચૂંટણીના કોઈ પણ સમયે વગર જિલ્લા ભાજપ પ્રમુખના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ એક કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે જયરાજસિંહ જાડેજા તેમના માટે પિતા સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગોંડલની વિધાનસભા બેઠક માટે બહારના લુખ્ખાઓએ લાળ ટપકાવવાની જરૂર નથી. અલ્પેશ ઢોલરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.

આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તેવા લોકો આવારા તત્વો છે અને તેમનું ગોંડલમાં કોઈ સ્થાન નથી. તેમના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિવિધ અટકળો વહેતી થઈ છે.

અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાધાનની પહેલથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનું આ પ્રકારનું નિવેદન અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું આ નિવેદન પાર્ટીની સત્તાવાર લાઇન છે કે પછી તે તેમનું વ્યક્તિગત મતવ્ય છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

જો કે, જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા આટલા મોટા પાયે જાહેરમાં કોઈ નેતાને આગામી ધારાસભ્ય તરીકે પ્રોજેક્ટ કરવાથી પાર્ટીના અન્ય સંભવિત દાવેદારોમાં નિરાશા જોવા મળી શકે છે. વગર ચૂંટણીએ જ કોઈ એક નામની જાહેરાત કરવાથી પાર્ટીની અંદર પણ વિરોધના સૂર ઉઠી શકે છે.

હાલમાં તો અલ્પેશ ઢોલરિયાના આ નિવેદને ગોંડલના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે અને લોકો આ નિવેદનના વિવિધ અર્થો કાઢી રહ્યા છે. આગામી સમયમાં આ નિવેદનની પાર્ટી અને સ્થાનિક રાજકારણ પર શું અસર પડે છે તે જોવું રહ્યું. ભાજપના વરિષ્ઠ નેતાઓ આ નિવેદન અંગે શું પ્રતિક્રિયા આપે છે તે પણ મહત્વનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget